Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારતરમત ગમત

મુખ્યમંત્રીએ અમદાવાદમાં વસ્ત્રાલના અયોધ્યાધામ શ્રી રામ મંદિરે ભગવાન શ્રીરામના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા

સવેરા ગુજરાત, અમદાવાદ  ,તા.21

અમદાવાદ,  : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા અમદાવાદના વસ્ત્રાલમાં અયોધ્યાધામ શ્રી રામ મંદિર ખાતે આયોજિત ‘શ્રી રામ મંદિરના વાલમ વધામણા – શ્રી રામોત્સવ’ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્ત્રાલના અયોધ્યાધામ શ્રી રામ મંદિરે ભગવાન શ્રીરામના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા અને મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિ માટે મંગલ કામના પણ કરી હતી. એટલું જ નહિ આ અવસરે આયોજિત શોભા યાત્રામાં પણ મુખ્યમંત્રીશ્રી સહભાગી થયા હતા.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, સાંસદ હસમુખભાઈ પટેલ, રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, વલ્લભ કાકડિયા, શ્રી સીતારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

બોલિવુડ અભિનેતા સોનુ સૂદની વધી મુશ્કેલી, આવકવેરા વિભાગે 20 કરોડની ટેક્સ ચોરી અને ખોટી લેવડદેવડનો લગાવ્યો આરોપ…

saveragujarat

બજેટમાં દેશના વિકાસને સર્વોપરી રાખવાનો પ્રયાસ થશે : સિતારમણ

saveragujarat

ખોળીયામાં જીવ સાથે અંધ આંખોમાં સ્વપ્ન સેવી રહેલા દ્રષ્ટિહીન માણસ માટે ચક્ષુદાન ચમત્કાર છે

saveragujarat

Leave a Comment