Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ફ્રાન્સના તોફાનોની આગ યુરોપમાં ફેલાવવા લાગી

બર્લિન, તા.૨
ફ્રાન્સના તોફાનોની આગ પાડોશી સ્વિટ્‌ઝરલેન્ડના લુસાને સુધી પહોંચી ગઈ, જ્યાં કેટલીક દુકાનો પર પથ્થરમારા અને પેટ્રોલ બોમ્બ ફેંકાયા બાદ સાત લોકોની અટકાયત કરવામાં આવી છે. અટકાયત કરાયેલામાં મોટાભાગના કિશોર છે. પોલીસે રવિવારે આ જાણકારી આપી. પોલીસે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, પશ્ચિમ સ્વિટ્‌ઝરલેન્ડના ફ્રેન્ચ ભાષી લુસાનેના મધ્ય વિસ્તારમાં શનિવારે સાંજે ૧૦૦થી વધુ લોકો એકઠા થઈ ગયા. સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, તે ફ્રાન્સમાં હિંસાને લઈને સોશિયલ મીડિયા પર કરાયેલી અપીલ બાદ એકઠા થયા હતા. પેરિસના એક ઉપનગરમાં ૧૭ વર્ષના એક કિશોરનું પોલીસ ગોળીબારમાં મોત થયા પછી થયેલી હિંસાએ ફ્રાંસને હચમચાવી નાખ્યું છે.પોલીસે જણાવ્યું કે, યુવકો તરફથી કરાયેલા પથ્થરમારા અને પેટ્રોલ બોમ્બ ફેંકવાથી ઘણી દુકાનોના કાચ તૂટી ગયા અને એક દુકાનના દરવાજાને નુકસાન પહોંચ્યું. પોલીસે કહ્યું કે, તેણે ૬ સગીરોની અટકાયત કરી છે. આ સગીરોની ઉંમર ૧૫થી ૧૭ વર્ષની વચ્ચે છે અને તેમાંથી ત્રણ છોકરીઓ અને ત્રણ છોકરા છે. આ સગીરો પાસે પોર્ટુગલ, સોમાલિયા, બોસ્નિયા, સ્વિટ્‌ઝરલેન્ડ, જાેર્જિયા અને સર્બિયાના નાગરિકતા છે. પોલીસે જણાવ્યું કે, તેણે ૨૪ વર્ષના એક સ્વિટ્‌ઝરલેન્ડના નાગરિકની પણ અટકાયત કરી છે. ઘટમાં કોઈ પણ પોલીસ અધિકારી ઘાયલ નથી થયો.ફ્રાન્સમાં પોલીસના ગોળીબારમાં કિશોરના મોત પછી ફેલાયેલી હિંસા રવિવારે પણ ચાલી રહી અને પ્રદર્શનકારી યુવાનોએ એક સળગતી કારને મેયરના ઘર સાથે અથડાવી. જાેકે, હિંસાના મામલાઓમાં હવે થોડો ઘટાડો જાેવા મળી રહ્યો છે. પોલીસે રવિવારે ૧૭૯ તોફાનીઓની ધરપકડ કરી હતી. ગત મંગળવાર રાત્રે પ્રદર્શન શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં પોલીસે ૩,૦૦૦થી વધુ લોકોની ધરપકડ કરી છે. નેનટેરેના ઉપનગરમાં પોલીસની ગોળીબારમાં માર્યા ગયેલા ૧૭ વર્ષના નાહેલના શનિવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. કબ્રસ્તાનમાં તેનો મૃતદેહ લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે મોટી સંખ્યામાં લોકો રસ્તાના કિનારે ઊભા હતા.મંગળવારે ચેકિંગ દરમિયાન ૧૭ વર્ષના નાહેલનું મોત થવાની ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયોમાં બે અધિકારી કારના દરવાજા પાસે ઉભેલા જાેવા મળી રહ્યા છે, જેમાંથી એકએ ચાલક પર બંદૂક તાણી રાખી છે. જેવો કિશોર આગળ વધે છે, અધિકારી ગોળી ચલાવી દે છે. આ ઘટનાએ ફ્રાન્સને હચમચાવી નાખ્યું અને લોકો ઘણા ગુસ્સામાં છે. નાહેલના મોત પછી પેરિસ ઉપનગરના લોકોમાં આક્રોશ ફેલાયો અને સમગ્ર દેશમાં હિંસા ભડકી ઉઠી. ઉત્તર પેરિસ નજીક પ્રદર્શનકારીઓએ ફટાકડા સળગાવ્યા અને બેરિકેડને આગને ચાંપી દીધી.પ્રદર્શનકારીઓને કાબુમાં લેવા માટે પોલીસએ ટીયર ગેસના શેલ છોડ્યા હતા. પ્રદર્શનકારીઓએ મોડી રાત્રે ઉપનગર હે-લેસ રોજેજમાં મેયરના ઘરને નિશાન બનાવ્યું. પ્રદર્શનકારીઓએ તાજેતરના દિવસોમાં ઘણી સ્કૂલ, પોલીસ સ્ટેશન, ટાઉન હોલ અને સ્ટોરમાં તોડફોડ અને આગચંપી કરી, પરંતુ કોઈ મેયરના ઘર પર હુમલાની આ પહેલી ઘટના છે. મેયર વિન્સેટ જીનબ્રૂને કહ્યું કે, મોડી રાત્રે લગભગ દોઢ કલાકે થયેલા હુમલામાં તેમના પત્ની અને બાળકો ઘાયલ થયા છે. જ્યારે હુમલો થયો, એ સમયે મેયરના પરિવારના સભ્યો ઘરમાં ઊંઘી રહ્યા હતા અને તેઓ ટાઉન હોલમાં હિંસા પર નજર રાખી રહ્યા હતા. મેયરએ હિંસાને અસ્વીકાર્ય જણાવતા ઈમર્જન્સી લાગુ કરવાનો સરકારને આગ્રહ કર્યો.

Related posts

ગુજરાત ના મુખ્યમંત્રી કાલથી બે દિવસના દુબઇ પ્રવાસે

saveragujarat

મધ્યમ-વર્ગની મુશ્કેલી વધી, ફરી LPG-ગેસ-સિલિન્ડર થયું મોંઘુ, જાણો કેટલા રૂપિયા થયો ભાવ વધારો…

saveragujarat

કોહલી-શાહરુખ જ્યાં રોકાયા હતા એ રૂમમાં રોકાયા બ્રિટિશ PM

saveragujarat

Leave a Comment