Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મજબૂત સંગઠન બનાવવા માટે આમ આદમી પાર્ટીએ પ્રદેશ કારોબારી બેઠક યોજી

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૧
આમ આદમી પાર્ટીએ નવનિયુક્ત હોદ્દેદારો સમક્ષ આગામી ચૂંટણીલક્ષી વ્યૂહરચના રજૂ કરી.દરેક તાલુકા, નગરપાલિકા અને વોર્ડ સ્તરે તિરંગા સભાનું આયોજન કરવામાં આવશેઃ ઈસુદાન ગઢવી.સંગઠન મજબૂત બનાવવા માટે દરેક બૂથ પર ૨૦ લોકોને જવાબદારી સોંપવામાં આવશેઃઈસુદાન ગઢવી.ગુજરાતના દરેક કાર્યકર્તા અત્યારથી ૨૦૨૭ની ચૂંટણીની તૈયારીમાં લાગી જશેઃ ઈસુદાન ગઢવી.દરેકે દરેક બુથનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવશેઃ મનોજ સોરઠીયા.આવનારા સમયમાં આપણે નગરપાલિકા અને બોર્ડના સ્તરે તિરંગા સભાનું આયોજન કરીશું અને લોકો સુધી આમ આદમી પાર્ટીના વિચારો પહોચાડીશુંઃ મનોજ સોરઠીયા.૨૦૨૭ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ બૂથ લેવલનું કામ શરૂ કરવામાં આવશેઃ ચૈતર વસાવા.આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આપણે જનતા વચ્ચે જઈને તેમની નાની નાની મુશ્કેલીઓ સાંભળીને, તેમના કામો કરીશુંઃ હેમંત ખવા.પ્રદેશ લેવલથી જે પણ કાર્યક્રમ જાહેર કરવામાં આવે તે દરેક પ્રકારના કાર્યક્રમો આપણે દરેક સ્તર પર કરીને સંગઠનને મજબૂત બનાવીશુંઃ ઉમેશ મકવાણા.તિરંગા સભામાં આપણે જેટલા વધુ લોકોને જાેડીશું એટલું ઝડપથી આપણું સંગઠન મજબૂત થશેઃ સાગર રબારી.અમદાવાદમાં આમ આદમી પાર્ટી ગુજરાતની પ્રદેશની કારોબારી બેઠક મળી હતી. સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આમ આદમી પાર્ટી એ સમગ્ર ગુજરાતમાં તિરંગા સભાના આયોજનની જાહેરાત કરી અને દરેક બુથને મજબૂત કરવા માટે મારું બુથ મજબૂત બૂથ સ્લોગન સાથે દરેક બુથને મજબૂત કરવાની વ્યૂહરચના પદાધિકારીઓ સમક્ષ રચવા રજૂ કરવામાં આવી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ બધા પદાધિકારીઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવી કે, નવનીયુક્ત દરેક પદાઅધિકારીઓને નવી જવાબદારી મળવા બદલ ખુબ ખુબ અભિનંદન. દરેક પદાઅધિકારીઓએ આવનારી લોકસભા અને નગર નિગમની ચૂંટણીઓ માટે તનતોડ મહેનત કરવાની છે. આપણી પાસે પૂરતો સમય છે જેનો ઉપયોગ કરીને આપણે ગુજરાતના દરેકે દરેક બુથ પર આપણા સંગઠનને મજબૂત કરવાની જવાબદારી આપણા સૌની છે. જ્યારે હું ધારાસભ્ય હેમંતભાઈ ખવાને પહેલી વખત મળ્યો હતો એ સમયે તેમણે પોતાના દરેક બુથ પર ૫૦ લોકોના સભ્યોની ટીમ ની યાદી મારા સમક્ષ રજૂ કરી હતી. એ જ રીતે ધારાસભ્ય ચૈતર વસાવા એ પણ પોતાના દરેક બૂથ પર સંગઠન મજબૂત કર્યું હતું અને આટલી જબરદસ્ત તૈયારી ના કારણે તેઓ ચૂંટણી જીતી શક્યા હતા.દરેક હોદ્દેદારોના કામની સંપૂર્ણ માહિતી ભેગી કરીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને સોંપવામાં આવશે કારણ કે લોકસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતીથી પ્રદર્શન કરે એની જવાબદારી આપણે સૌએ લીધી છે. જ્યારે વિધાનસભાઓમાં સમિતિ અને બુથના સંગઠનની રચના થઈ જશે ત્યારે દર મહિને હું દરેક લોકસભા ઇન્ચાર્જની સાથે મીટીંગ કરીશ અને દરેકના કામની જાણકારી મેળવીશ. કોણે ક્યાં કેટલી મિટિંગ કરી કેટલા કાર્યકર્તાઓ બનાવ્યા કેટલા કાર્યક્રમો કર્યા દરેક બાબતની જાણકારી લેવામાં આવશે. લોકસભા ઇન્ચાર્જ, વિધાનસભાના પ્રમુખ અને વિંગના પ્રમુખો સાથે હું દર મહિને ઓનલાઈન મુલાકાત લઈશ. આપણા સંગઠનને વધુ સારી રીતે સુઆયોજિત બનાવવા માટે આપણે એક મોબાઇલ એપ પણ બનાવી રહ્યા છીએ જે મોબાઈલ એપ દરેક હોદ્દેદારોએ ડાઉનલોડ કરવાની રહેશે અને તેમાં જાણકારી ભરવાની રહેશે કે ક્યાં કેટલું કામ કરવામાં આવ્યું.જેનાથી દરેકના કામનું રિપોર્ટિંગ ખૂબ જ સુઆયોજીત રીતે થઈ જશે. કોઈપણ હોદ્દેદારને ખુરશીના નેતા બનવા માટે કામ સોંપવામાં નથી આવ્યું, જેને જેટલી મોટી જવાબદારી આપવામાં આવી છે એને એટલું જ વધુ કામ કરવું પડશે. દરેકે દરેક બૂથ પર ૨૦ લોકોનું સંગઠન હોવું જાેઈએ. દરેક તાલુકા, નગરપાલિકા અને વોર્ડ સ્તરે તિરંગા સભા નું આયોજન કરવાનું છે. જાે આટલું કામ કરી દેવામાં આવશે તો કોઈપણ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોઈપણ બૂથ પર કમજાેર નહીં રહે.આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ હોદ્દેદારોને સંબોધીને જણાવ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી આપણે સૌ સાથે મળીને રાત દિવસ મહેનત કરી રહ્યા છીએ. તેના પરિણામ સ્વરૂપે આપણને વિધાનસભા ચૂંટણીમાં ૪૧ લાખથી વધુ વોટ મળ્યા હતા અને પાંચ મજબૂત ધારાસભ્યો મળ્યા હતા. આજે આમ આદમી પાર્ટીનું સંગઠન વધુ મજબૂત છે અને નવા હોદ્દેદારોની જવાબદારી આપ્યા બાદ આપણા કામની ગતિ ખૂબ જ વધવાની છે. આપણે આ વખતે દરેકે દરેક બુથનું માઇક્રો પ્લાનિંગ કરવાનું છે અને ચૂંટણી સમયે કયા બૂથ પર કેટલા વોટ મળશે તે સ્તરની માહિતી અગાઉથી મળી રહે તે રીતે સંગઠન મજબૂત કરવાનું છે. છેલ્લા એક મહિનાથી આપણે અલગ અલગ જગ્યા ઉપર તિરંગા સભા યોજી રહ્યા છીએ. અલગ અલગ લોકસભા અને વિધાનસભા સ્તરે અત્યાર સુધી તિરંગા સભા નું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આવનારા સમયમાં આપણે નગરપાલિકા અને બોર્ડના સ્તરે તિરંગા સભા નું આયોજન કરીશું અને લોકો સુધી આમ આદમી પાર્ટીના વિચારો પહોચાડીશું.તિરંગા સભાના માધ્યમથી આપણે સંગઠનનું નિર્માણ કરીશું, સ્થાનિક પ્રશ્નો ઉઠાવીશું, આમ આદમી પાર્ટીના કામો અને આમ આદમી પાર્ટીની સાચી માહિતીઓ લોકો સુધી પહોંચાડીશું અને જે ખોટી માહિતીઓ લોકો વચ્ચે છે તેની ભ્રમણા દૂર કરીશું. દર શનિવારે એક તિરંગા સભામાં જાે સો લોકો પણ જાેડાશે તો એક શનિવારે આપણી ૬૦,૦૦૦ લોકો સુધી પહોંચી શકીશું. અને જાે આ કામ શક્ય થઈ ગયું તો આમ આદમી પાર્ટી છેલ્લામાં છેલ્લા નાગરિક સુધી પોતાની પહોંચ બનાવી લેશે અને આપણો સંગઠન અત્યંત મજબૂત થઈ જશે.આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું, નવનિયુક્ત હોદ્દેદારો અને આપણા તમામ કાર્યકર્તાઓના અથાગ પ્રયાસના કારણે આપણને વિધાનસભામાં ૪૧ લાખથી વધુ મત મળ્યા હતા. હવે આપણી પાસે પાંચ વર્ષનો સમય છે અને આપણે ૨૦૨૭ની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવાની છે. મેં પાંચ વર્ષ પહેલા થી જ ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. લોકોને મળવાનું નાના મોટા દરેક કાર્યક્રમોમાં હાજર રહેવાનું અને લોકોના પ્રશ્નો સાંભળવાનો કામ હું સતત કરતો હતો. હવે આપણે પણ આખા ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવાનું છે અને આવનારી દરેક ચૂંટણી માટે આમ આદમી પાર્ટીને તૈયાર કરવાનું કામ કરવાનું છે. હું જ્યારે પહેલી વખત ઈસુદાન ભાઈ ને મળ્યો એ પહેલાં જ મેં તાલુકા લેવલની સમિતિથી લઈને બુથ લેવલની બધી જ તૈયારી કરી લીધી હતી અને એની બધી જ વિગતો મેં ઈસુદાન ભાઈ ને જણાવી હતી. તો આ પ્રમાણેનું જ કામ ગુજરાતના દરેક બુથ પર આપણે કરવાનું છે.આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું, આપણે આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે જનતા વચ્ચે જઈને તેમની નાની નાની મુશ્કેલીઓ સાંભળીને તેમના કામો કરવા પડશે. કયા વિસ્તારમાં રોડ બનાવવાની જરૂરત છે કયા વિસ્તારમાં દવાખાના બનાવવાની જરૂર છે આવી તમામ પ્રકારની માહિતીઓ ભેગી કરીને આપણે આ મુદ્દા ઉપર સરકાર સમક્ષ માંગણીઓ કરવી પડશે અને લોકોને સમસ્યાઓનું સમાધાન લાવવું પડશે. આમ કરવાથી લોકો સમક્ષ આમ આદમી પાર્ટીની વધુ સારી ઈમેજ બનશે અને લોકો આપણા સંગઠન સાથે જાેડાશે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પોતાની વાત કરતા જણાવ્યું હતું, અરવિંદ કેજરીવાલજીએ જે ઈમાનદારીનું બીજ રોપ્યું છે એ ઈમાનદારીના કારણે આપણે સૌ એકબીજા સાથે ખૂબ જ લાગણીશીલ રીતે જાેડાયેલા છીએ અને હંમેશા પરિવારની જેમ એકબીજાના પડખે હંમેશા ઊભા રહ્યા છીએ અને આ જ રીતે હંમેશા એકબીજાની સાથે રહીને આપણે આપણા સંગઠનને વધુ મજબૂત બનાવવાનું છે. જ્યાં સુધી આપણે બૂથ સુધીનું સંગઠન મજબૂત નહીં બનાવી લઈએ ત્યાં સુધી આપણે કોઈપણ ચૂંટણી જીતી શકીશું નહીં. એટલા માટે જ પ્રદેશ લેવલથી જે પણ કાર્યક્રમમાં જાહેર કરવામાં આવી તે દરેક પ્રકારના કાર્યક્રમો આપણે દરેક સ્તર પર કરીને સંગઠનને મજબૂત બનાવવાનું છે.આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારીએ પોતાની વાત હોદ્દેદારો સમક્ષ રજૂ કરતા જણાવ્યું કે, તિરંગા સભામાં આપણે જેટલા વધુ લોકોને જાેડીશું એટલું ઝડપથી આપણું સંગઠન મજબૂત થશે. જેટલી ઝડપથી સમિતિ અને બૂથના સંગઠનનું નિર્માણ કરીશું એનો સીધો ફાયદો આપણને આવનારી સ્થાનિક અને લોકસભા ચૂંટણીમાં મળશે. ચૂંટણીના દિવસે જેનું બૂથ સૌથી વધુ મજબૂત થશે એ લોકો જ જીત મેળવી શકશે અને આપણી પાસે પૂરતો સમય છે તો આપણે સૌએ ગુજરાતના બધા જ બૂથને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવામાં લાગી જવાનું છે.

Related posts

અમદાવાદ નિકોલમાં આવેલી ‘‘માં મલ્ટીકેર’’ હોસ્પિટલ બની ગુજરાતની પ્રથમ પેપરેલ હોસ્પિટલ

saveragujarat

દેશમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૩ નવા કેસ

saveragujarat

નરેન્દ્ર મોદીએ નાગપુરમાં અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું

saveragujarat

Leave a Comment