સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૪
માં મલ્ટીકેર હોસ્પિટલના સંચાલક ડો. કિંજલકુમાર શ્યાણીએ ગુજરાતના ચિકિત્સા જગતમાં ઇતિહાસ રચ્યો છે. માં મલ્ટીકેર હોસ્પિટલ (સત્યમ પ્લાઝા, નિકોલ, અમદાવાદ) બની અમદાવાદની પ્રથમ પેપરલેસ હોસ્પિટલ. પ્રેસ્કો પેપરલેસ આઇ.પી.ડી.ની સાથે દર્દીઓના ડેટાને ડિઝીટલ રૂપ આપી પેપરલેસ વર્ક શરૂ કરી દીધું છે. આનાથી સમયની બચત થશે. ભૂલો ઓછી થશે. પર્યાવરણને થતાં નુકશાન ઓછા થશે. એક કામ માટે જે કાગળની જરૂર પડે છે. તેના લીધે લાખો કરોડો ઝાડ કાપવામાં આવે છે. એનાથી ગ્લોબલ વોર્મિગ વધે છે. પ્રેસ્કોથી વૃક્ષોનો તો બચાવ થાય છે જાેડે જાેડે ગ્લોબલ વોર્મિગ ઓછું થાય અને હોસ્પિટલનો ખર્ચ પણ ઓછો થાય છે. ડો. કિંજલકુમાર શ્યાણીએ કહ્યું હોસ્પિટલ પ્રકૃતિની સેવામાં લાગી છે.
આજના ટેકનોલોજીના ડિઝીટલ યુગમાં દેશની અનેક અગ્રગ્રણ્ય સંસ્થાઓ, હોસ્પિટલો અગ્રીમતાની હરોળમાં સ્થાન પામી છે. જેમાં પેપરલેસ અને કેશલેસ ટ્રાન્ઝેક્શન એટલા માટે લોકપ્રિય બન્યું છે કારણ કે મૂળ વિચાર આપણા સ્વભાવને બચાવવા માટે પ્રોત્સાહન આપવાનો હતો. એમાં કોઈ નવાઈ નથી કે આપણે ઘરો, ટેક પાર્ક, મનોરંજન પાર્ક, ઓફિસો, એપાર્ટમેન્ટ્સ વગેરે બનાવવા માટે વૃક્ષો અને ખેતીની જમીનનો નાશ કરીએ છીએ. તેથી કાગળોના ઉત્પાદન માટે વધુ વૃક્ષો કાપવાથી રોકવા માટે, પેપરલેસ વ્યવહારો શરૂ કરવામાં આવ્યા હતા. તે એક ડિજિટલ પેપર છે જ્યાં દરેક કરાર અથવા કરાર સામાન્ય કાગળની જેમ જ લખવામાં આવે છે પરંતુ સામાન્ય કાગળના ઉપયોગને શક્ય તેટલું ઓછું કરીને તેને ડિજિટલ રીતે પ્રક્રિયા કરવામાં આવે છે. જેમાં અમદાવાદ નિકોલ ખાતે આવેલી માં મલ્ટીકેર હોસ્પિટલ પણ પેપરલેસની કામગીરીમાં અનોખી નામના મેળવી છે અને સમગ્ર હોસ્પિટલમાં પેપરલેસ કામગીરી દ્વારા અન્ય અનેક સંસ્થાઓ, એનજીઓ, હોસ્પિટલો માટે માં મલ્ટીકેર હોસ્પિટલ પ્રેરણારૂપ સાબિત થાય તેમ છે.