Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અમદાવાદનો બોગસ ડૉક્ટર ત્રણ દવાખાના બંધ કરીને નાસી ગયો

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૬
ભરણપોષણના કેસના કારણે નકલી ડૉક્ટરનો પર્દાફાશ થયો છે. એક નહીં ત્રણ-ત્રણ દવાખાના ચલાવતો આ ડૉક્ટર હાલ નાસતો ફરી રહ્યો છે. વર્ષોથી દવાખાના ચલાવતો આ ડૉક્ટર અત્યાર સુધીમાં કેટલાય લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી ચૂક્યો હશે. જાે ભરણપોષણના કેસની સુનાવણી દરમિયાન તેનો ભાંડાફોડ ના થયો હોત તો હજી પણ આ કામ ચાલતું જ રહ્યું હોત. ખાડિયા પોલીસે સોમવારે ૩૯ વર્ષીય પલકેશ ગજ્જર સામે ફરિયાદ નોંધી છે. શહેરના ઈસનપુર, ઘોડાસર અને રાયપુર વિસ્તારમાં પલકેશ ગજ્જરના દવાખાના હતા. પોલીસે હાલ તો તેની સામે આઈપીસીની કલમ ૩૩૬ (અન્ય લોકોના જીવ જાેખમમાં મૂકવા) સહિત ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ (રજિસ્ટર ના થયેલા હોય તેવા લોકોની મેડિકલ પ્રેક્ટિસ પર રોક લગાવવી)ના સેક્શન ૩૦ હેઠળ ફરિયાદ નોંધી છે.કેસની વિગતે વાત કરીએ તો, પલકેશની પત્ની દીપાલી ઠક્કરે જાન્યુઆરી ૨૦૨૦માં ફેમિલી કોર્ટના ચુકાદાને પડકારતી અરજી કરી હતી. ફેમિલી કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, દંપતીના પાંચ વર્ષના દીકરાના ભરણપોષણ પેટે કલ્પેશ ૫,૦૦૦ રૂપિયા આપશે. ત્યારે દીપાલીએ આ રકમ વધારીને ૧૦,૦૦૦ રૂપિયા કરવાની માગ કરતી અરજી હાઈકોર્ટમાં કરી હતી. ૧૭ માર્ચ ૨૦૨૩ના રોજ થયેલી સુનાવણી વખતે દીપાલીએ પોતાના વકીલ મારફતે કોર્ટમાં રજૂઆત કરી હતી કે પલકેશ ગજ્જર ડૉક્ટર છે અને તેમના દીકરાના ઉછેર માટે ૫,૦૦૦ રૂપિયા ખૂબ ઓછી રકમ છે. સાથે જ પલકેશ નિયમિતપણે ભરણપોષણનો ખર્ચ ના ચૂકવતો હોવાનું પણ કહ્યું હતું.કેસમાં વળાંક તો ત્યારે આવ્યો જ્યારે દવાખાના ચલાવતો પલકેશ ડૉક્ટર ના હોવાનો ફોડ પડ્યો. પલકેશે પોતાના વકીલ મારફતે કોર્ટમાં જણાવ્યું કે, તેની પાસે મેડિકલની કોઈ ડિગ્રી નથી. અગાઉ કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે,પલકેશ ગજ્જર (રિસ્પોન્ડન્ટ ૧) પાસે બીએએમએસ, નેચરોપથી અને યોગ (એનડીડીવાય)ની ડિગ્રી છે. પરંતુ આજે રિસ્પોન્ડન્ટ ૨ના વકીલ આ તથ્યને નકારે છે. આજે ૨૦ એપ્રિલે તેઓ ખુલાસો કરે છે કે, રિસ્પોન્ડન્ટ ૨એ એફિડેવિટ કરીને જાણકારી આપી છે કે, તે બીકોમના પહેલા વર્ષમાં જ નપાસ થયો હતો, તેમ હાઈકોર્ટના આદેશમાં ખુલાસો થયો છે.જેથી તેની પત્ની દીપાલી ગજ્જરે ‘શિવમ દવાખાનું’ના ફોટોઝ બતાવ્યા. દવાખાનાના પાટિયા પર પલકેશ ગજ્જરનું નામ લખેલું હતું. હાઈકોર્ટે પોલીસને આ મુદ્દે તપાસ કરવાનો નિર્દેશ આપ્યો. જેથી પોલીસ રાયપુરમાં આવેલા દવાખાને પહોંચી હતી, જે બંધ હતું. ખાડિયા પોલીસના ઈન્સ્પેક્ટર કે.પી. ચાવડાએ કહ્યું કે, તેમણે આગળ તપાસ કરતાં પલકેશ પાસે કોઈ ડિગ્રી ના હોવાનો ખુલાસો થયો હતો. જે બાદ તેમણે કેસ દાખલ કર્યો હતો. દોઢેક મહિના પહેલા ત્રણ ક્લિનિક બંધ કરીને પલકેશ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પલકેશે ફેમિલી કોર્ટ સામે પણ પોતે ડૉક્ટર નહીં સેલ્સમેન હોવાનો ખુલાસો કર્યો હતો. જેથી તે ભરણપોષણ પેટે ૧૦,૦૦૦ રૂપિયા નહીં આપી શકે તેમ જણાવ્યું હતું. હાલ અમે તેની શોધખોળ કરી રહ્યા છીએ, તેમ ઈન્સ્પેક્ટર ચાવડાએ ઉમેર્યું.

Related posts

અંબાજી ગામના નામ આગળ શ્રી ઉમેરવા PMOમાં ઓનલાઈન અરજી કરવામા આવી છે

saveragujarat

GTUએ જ્ઞાનરૂપી વડલો છે : પંકજભાઇ પટેલ

saveragujarat

પાકિસ્તાન બાલાકોટ બાદ પરમાણુ હુમલાની તૈયારીમાં હતું

saveragujarat

Leave a Comment