Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સ્વાસ્થ્ય વીમાની મર્યાદા પાંચથી વધારીને દસ લાખની કરાઈ

સવેરા ગુજરાત,ગાંધીનગર, તા.૨૪
આજે ૧૫મી વિધાનસભાનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે બીજીવાર બજેટ રજૂ કરી રહ્યા છે. ગુજરાત સરકારનું વર્ષ ૨૦૨૩-૨૪નું કુલ બજેટ ૩ લાખ ૧ હજાર ૨૨ કરોડ રૂપિયાનું છે. રાજ્યના દરેક સમાજના લોકોની નજર આ બજેટ પર છે. રાજ્યના બજેટમાં સરકારે નાગરીકોને રાહત આપતા બજેટમાં કરવેરાના દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.આ બજેટમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યુ છે. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ૧૫૧૮૨ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. જેમાં સ્વાસ્થ્ય સુવિધાને લગતી રાજ્યના નાણાં પ્રધાનની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય અને મા યોજના કાર્ડ ધારકોની સારવાર ખર્ચમાં વધારો કર્યો છે. આ યોજનામાં કુટુંબ દીઠ વિમાની રકમ વાર્ષિક મર્યાદા રૂપિયા ૫ લાખ નક્કી કરી હતી. રાજ્ય સરકાર આ વખતે બજેટમાં પરિવારની વાર્ષિક મર્યાદામાં કર્યો વધારો છે. સ્વાસ્થ્યની વીમાની મર્યાદા ૫ લાખથી વધારીને ૧૦ લાખ કરાઈ છે.રાજ્યના તમામ વિસ્તારો, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાથમિક આરોગ્ય સેવાઓની સાથોસાથ રેફરલ અને સુપર સ્પેશિયાલિટી સુધીની આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. દર્દીઓને દવાઓ સુલભ રીતે ઉપલબ્ધ થાય તેમજ જરૂરી નિદાન સેવાઓનો વ્યાપ ગ્રામ્યસ્તર સુધી વધે તે માટે સરકારે સઘન આયોજન કર્યુ છે. માતૃ અને બાળકલ્યાણ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી આ સેવાઓ વધુ સઘન અને સુલભ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરી આરોગ્ય સુનિશ્ચિત કરવા માળખાકિય સેવાઓનું સુનિયોજિત રીતે વિસ્તરણ કરવામાં આવશે. કેન્સર, ડાયાબિટીસ અને હાયપર ટેન્શેન જેવા બિનચેપી રોગોનું નિદાન અને સારવાર માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણની સેવાઓ માટે ૯૨૬૩ કરોડની જાેગવાઇ,આરોગ્ય સેવાઓ અને બિન સંચારી રોગોના અટકાયત અને નિયંત્રણ માટે નેશનલ હેલ્થ મિશન હેઠળ ૧૭૪૫ કરોડની જાેગવાઈ.પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મફત તબીબી સારવાર આપવા ૧૬૦૦ કરોડની જાેગવાઇ. ૧૫માં નાણાપંચ અંતર્ગત આરોગ્ય કેન્દ્રોતની માળખાકિય સગવડો અને નિદાન સુવિધા વધારવા માટે ૬૪૩ કરોડની જાેગવાઇ.આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને બીજી જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ રાજ્ય સરકાર દ્વારા વર્લ્ડ બેંકની સહાયથી ૪૨૦૦ કરોડના ખર્ચે શરૂ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેકટ અંતર્ગત આગામી વર્ષ માટે ૩૫૦ કરોડની જાેગવાઈ. કસ્તુરબા પોષણ સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના વગેરે મહિલાલક્ષી યોજનાઓ માટે ૩૨૪ કરોડની જાેગવાઈ.શહેરી આરોગ્યની સેવાઓ વધારે સુદ્રઢ કરવા ૨૫૦ કરોડની જાેગવાઈ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા સબ સેન્ટરના નવિન મકાન બાંધકામ માટે ૭૧ કરોડની જાેગવાઈ. નવજાત શિશુઓને જરૂરી તમામ આરોગ્ય વિષયક સેવાઓ આપવા માટે કાર્યરત snscની સંખ્યામાં ૫૦ નો વધારો કરવામાં આવશે, જે માટે ૨૪ કરોડની જાેગવાઇ. ૫૦ અંતરિયાળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાઓ અને બાળકોના નિષ્ણાંત ડોકટરની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ’૧૨ કરોડની જાેગવાઇ. તબીબી સેવાઓ માટે કુલ ૧૨૭૮ કરોડની જાેગવાઇ. પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન યોજના માટે ૨૭૦ કરોડની જાેગવાઈ. જિલ્લા કક્ષાની અને પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલોના બાંધકામ તથા હયાત હોસ્પિટલોના સુદ્રઢીકરણ માટે ૫૭ કરોડની જાેગવાઈ. એમ્બ્યુલન્સા સેવાઓની ક્ષમતામાં વધારો કરવા રાજ્યમાં નવી ૧૯૮ એમ્બ્યુલન્સજ વસાવવા માટે ૫૫ કરોડની જાેગવાઇ.તબીબી શિક્ષણ અને સંશોધન મેડિકલ કોલેજમાં શિક્ષણ અને આરોગ્ય સગવડો માટે ૩૯૯૭ કરોડની જાેગવાઇ. સરકારી મેડિકલ કોલેજાે તથા તેને સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોમાં હયાત સુવિધાઓના વિસ્તૃતિકરણ માટે ૩૫૫ કરોડની જાેગવાઈ. અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે અનુસ્નાતક અભ્યાસક્રમોમાં બેઠકોનો વધારો થતા માળખાકિય સુવિધાઓ ઊભી કરવા તથા તબીબી સારવારની સેવાઓનો વ્યાપ વધારવા માટે ૧૪૫ કરોડની જાેગવાઈ. રાજ્યમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ થકી નવી મેડિકલ કોલેજાે સ્થાપવા તેમજ ખાનગી હોસ્પિટલોને સાધન સહાય માટે ૧૩૦ કરોડની જાેગવાઈ.સિવિલ હોસ્પિટલ, અમદાવાદ તેમજ અન્ય મેડિકલ કોલેજાે સંલગ્ન હોસ્પિટલોમાં આધુનિક સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે ૧૧૫ કરોડની જાેગવાઈ. મેડિકલ કોલેજાેના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ સહાય માટે ૬૫ કરોડની જાેગવાઈ.અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગ ખાતે નવી મેડિકલ કોલેજાેની સ્થાપના કરવામાં આવશે. નર્સિંગ શિક્ષણ સઘન બનાવી નર્સોની ઉપલબ્ધિ વધારવા માટે ૫ નવી નર્સિંગ કોલેજાેની સ્થાપના કરવામાં આવશે. આયુષની વિવિધ યોજના માટે ૩૭૭ કરોડની જાેગવાઇ.જરૂરી મહેકમ અને સાધન સામગ્રી માટે ૧૨ કરોડની જાેગવાઇ.ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ખોરાક અને દવાઓના નમુનાઓની ચકાસણીની કામગીરી સધન બનાવવા માટે સુરત અને રાજકોટ ખાતે નવી બે પ્રયોગશાળાઓ માટે ૮ કરોડની જાેગવાઇ.

Related posts

માત્ર 12 કલાકમાં ઈટલીમાં 30 ઈંચ વરસાદ, ઓમાનમાં વાવાઝોડા સાથે વર્ષા…

saveragujarat

હિંમતનગર ખાતે પત્રકાર એકતા સંગઠનની સાબરકાંઠા જિલ્લાની મિટિંગ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ.

saveragujarat

મ્યુચ્યુઅલ ફંડની રકમ મોડેથી આપવા પર કંપનીએ આપવું પડશે વ્યાજ

saveragujarat

Leave a Comment