નવી દિલ્હી, તા.૧૭
સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ મુદ્દા પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે એક સમિતિની રચના કરશે અને શેરબજારની કામગીરીમાં સુધારો કરવા માટેના માર્ગો સૂચવશે. અદાણી-હિંડનબર્ગ વિવાદ પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.
સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે તેઓ કેન્દ્ર દ્વારા સીલબંધ કવરના સૂચનને સ્વીકારશે નહીં કારણ કે સુપ્રીમ કોર્ટ સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માગે છે. જાે કે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે અદાણી-હિંડનબર્ગ મામલાની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરશે અને શેરબજારની કામગીરીમાં સુધારો કરવાના માર્ગો સૂચવશે.સીજેઆઈએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ સરકાર અથવા કોઈપણ અરજીકર્તા દ્વારા સૂચવવામાં આવેલા નામો પર વિચાર કરશે નહીં. તેઓ તેમના વતી એક સમિતિ બનાવશે.સોલિસિટર જનરલ તુષાર મહેતા અને વકીલો પ્રશાંત ભૂષણ અને એમએલ શર્મા સહિત પીઆઈએલ અરજીકર્તાઓની દલીલો સાંભળ્યા પછી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું, અમે આદેશ માટે તેને બંધ કરીએ છીએ. બેન્ચે રોકાણકારોને ભોગવવા પડેલા નુકસાનનો ઉલ્લેખ કર્યો હતો.બેન્ચે કહ્યું કે અમે સીલબંધ સૂચનો સ્વીકારીશું નહીં. અમે પારદર્શિતા સુનિશ્ચિત કરવા માગીએ છીએ. જાે અમે તમારા સૂચનો સીલબંધ સ્વીકારીએ છીએ, તો તેનો અર્થ એ છે
કે અન્ય પક્ષને જાણ થશે નહીં. બેન્ચે કહ્યું કે અમે રોકાણકારોની સુરક્ષા માટે સંપૂર્ણ પારદર્શિતા ઈચ્છીએ છીએ. અમે એક કમિટી બનાવીશું.સીજેઆઈએ કહ્યું, સિટિંગ (સુપ્રિમ કોર્ટ)ના જજ આ મામલાની સુનાવણી કરી શકે છે અને તેઓ સમિતિનો ભાગ ન હોઈ શકે. સર્વોચ્ચ અદાલતે ૧૦ ફેબ્રુઆરીના રોજ કહ્યું હતું કે અદાણી ગ્રૂપના શેરની મંદીની પૃષ્ઠભૂમિમાં બજારની અસ્થિરતા સામે ભારતીય રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું જરૂરી છે.
previous post