સવેરા ગુજરાત ગાંધીનગર તા.08
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મિડીયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પત્રકાર પરીષદ સંબોધી હતી. પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, લોકતંત્રના મહાપર્વ અંતર્ગત યોજાયેલ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારા અને ગુજરાતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ ની વિકાસવાદની રાજનીતિને સ્વિકારી સમર્થન આપવા બદલ ગુજરાતની જનતા જનાર્દનનો આભાર માન્યો હતો. આ જીત ભારતીય જનતા પાર્ટીની જ નથી પરંતુ ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી ઉપર મૂકેલ વિશ્વાસની જીત છે. રાષ્ટ્રવાદની વિચારધારાની જીત છે. વિકાસવાદની રાજનીતિની જીત છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના જનતા જનાર્દનના આર્શિવાદથી આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી મળી છે. ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી આપવાનું મન બનાવી ચૂકી હતી. લોકતંત્રના આ મહાપર્વમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૩૩ જનસભા અને ૩ રોડ શો યોજી ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં પ્રચાર પ્રસાર કર્યો હતો. ગુજરાતની જનતા નરેન્દ્રભાઇ મોદી ને હૃદયથી ચાહે છે. દેશના યશસ્વી ગૃહ મંત્રીએ પણ સભાઓ અને રોડ શો યોજી ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં પ્રચાર પ્રસાર કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારા અને વિકાસવાદની રાજનીતિ યથાવત રાખવા મતદાન કરવા ગુજરાતની જનતાને અપીલ કરી હતી. ભૂપેન્દ્રભાઇ પટેલ પટેલ નો આભાર વ્યક્ત કરવાની સાથોસાથ કેન્દ્રિય નેતૃત્વ અને અન્ય રાજ્યોમાંથી આવેલ મુખ્યમંત્રીઓનો અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીનો પણ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેમણે ગુજરાતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું અને જાહેર સભાઓ સંબોધીને રાષ્ટ્રવાદ અને વિકાસવાદ થકી ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા પ્રેરીત કર્યા. સમગ્ર પ્રચાર દરમિયાન અમને પક્ષના વરિષ્ઠ નેતૃત્વનો સતત સહયોગ અને માર્ગદર્શન મળ્યું હતું જેના કારણે અપાર શક્તિ અને પ્રેરણા મળતી રહી, કાર્યકરોને પ્રોત્સાહન મળતું રહ્યું છે.