Savera Gujarat
Otherકરંટ અફેયરભારત

ભારતમાં દવાઓના વેચાણમાં થતાં ગોરખધંધા હવે નહીં ચાલે

નવી દિલ્હી, તા.૪
દવાઓના વેચાણમાં સતત વધી રહ્યાં છે ગોરખધંધા. ક્યાંક સસ્તી દવાઓને મોંઘા ભાવે વેચવાનું કૌભાંડ થાય છે તો ક્યાંક અસલી દવાઓના બદલે નકલી દવાઓ પધરાવી દેવાનું કૌભાંડ સામે આવે છે. આમ, તો આ ધંધો આજકાલનો નથી વર્ષોથી ભારતના દરેક રાજ્યમાં આ પ્રકારે મેડિકલ સેક્ટરમાં ગોલમાલ થતી આવી છે. જાેકે, કોરોના કાળમાં અને ત્યાર બાદના સમયમાં આ ગોલમાલ ચરમસીમાએ પહોંચી છે. નકલી દવાઓના વેપલાએ માજા મુકી છે. જેને કારણે હવે સરકારે આ અંગે કડક વલણ અપનાવ્યું છે. નકલી દવાઓના બિઝનેસને રોકવા માટે સરકારે નવો નિયમ લાવવાનો ર્નિણય કર્યો છે. હવે દવાઓના પેકેટ્‌સ પર પણ બારકોડ લાગશે. સરકારે દવાઓમાં ઉપયોગમાં લેવાતા એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્‌સ પર બારકોડ મૂકવાનું ફરજિયાત બનાવ્યું છે. બનાવટી દવાઓના કારોબારને જાેતા બારકોડની સિસ્ટમ ફરજિયાત રહેશે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નિયમ ૧ ઓગસ્ટ, ૨૦૨૩થી ફરજિયાતપણે લાગુ થશે. ૩૦૦ દવાઓ માટે બારકોડ લગાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે દેશની અંદર વેચવામાં આવતી દવાઓ પર બારકોડ ફરજિયાત લગાવવાના શેડ્યુલને એચ૨ સાથે જાેડ્યું છે. સરકારનું કહેવું છે કે આ ર્નિણયથી મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઇન દ્વારા અધિકૃતતા અને ટ્રેસિબિલિટીની ખાતરી કરશે.આ બારકોડ્‌સમાં ઁિર્ઙ્ઘેષ્ઠં ૈઙ્ઘીહંૈકૈષ્ઠટ્ઠંર્ૈહ ર્ષ્ઠઙ્ઘી દવાનું યોગ્ય અને સામાન્ય નામ, બ્રાન્ડ નામ, ઉત્પાદકનું નામ અને સરનામું, બેચ નંબર, ઉત્પાદનની તારીખ સામેલ છે. દવા, દવાનો જથ્થો, દવાઓની એક્સપાયરી ડેટ અને મેન્યુફેક્ચરિંગ લાયસન્સ નંબરસહિતની તમામ માહિતી જાેવા મળશે. સરકાર આ પહેલને ભારતભરના કેમિસ્ટ આઉટલેટ્‌સ પર પ્રમોટ કરવાની યોજના ધરાવે છે. આ નિયમ લાવવા માટે સરકારે ડ્રગ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦માં સુધારો કર્યો છે. આ અંતર્ગત દવા બનાવતી કંપનીઓ માટે દવાઓ પર ઊઇ કોડ લગાવવો ફરજિયાત રહેશે. તેમણે શેડ્યૂલ ૐ૨/ઊઇ કોડ મૂકવો પડશે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગયા મહિને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક રૂલ્સ, ૧૯૪૫ (ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક રૂલ્સ, ૧૯૪૫) માં સુધારો કરીને ટોચની ૩૦૦ બ્રાન્ડ્‌સની દવાઓ પર બારકોડ ફરજિયાત બનાવ્યો હતો અને તેમાં નવું શેડ્યૂલ ૐ૨ ઉમેર્યું હતું. આ પગલાનો હેતુ મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઇન દ્વારા અધિકૃતતા અને ટ્રેસિબિલિટી સુનિશ્ચિત કરવાનો છે. આ નિયમ ૧ ઓગસ્ટ, ૨૦૨૩થી લાગુ થશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર તેની પહેલને ‘દવાઓ માટે આધાર કાર્ડ’ તરીકે પ્રોત્સાહન આપશે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે બેનરો સમગ્ર ભારતમાં તમામ ફાર્મસી આઉટલેટ્‌સ પર મુકવામાં આવશે. કેટલાક ફેરફારો તેના અમલીકરણ માટે ડ્રગ્સ અને કોસ્મેટિક્સ નિયમોમાં પણ જરૂરી રહેશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય આ પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે. હાલમાં, પ્રથમ તબક્કામાં ૩૦૦ દવાઓને આ દાયરામાં લાવવામાં આવી રહી છે, જે ટોચની બ્રાન્ડ્‌સના કુલ બજાર હિસ્સાના લગભગ ૩૫ ટકા છે. ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં તમામ દવાઓ તેના કાર્યક્ષેત્રમાં લાવવામાં આવશે અને તેઓએ તેમના પેકેટ પર બારકોડ પણ આપવો પડશે.

Related posts

નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર બનશે વડાપ્રધાન ઃ શાહ

saveragujarat

પાર્ટી પ્લોટ-ક્લબોમાં પૂરજાેશમાં નવરાત્રીની ચાલતી તૈયારીઓ

saveragujarat

ગિરધરનગર સર્કલ પાસે આવેલી ગ્રીન ઓર્કિડ બિલ્ડીંગમાં લાગી આગ

saveragujarat

Leave a Comment