નવી દિલ્હી,તા. 22
પાન અને આધારકાર્ડ લીંક કરવા માટે 31 માર્ચ 2023ની આખરી મુદત આપવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા એક ટવીટ કરીને જણાવ્યું છે કે ઇન્કમટેક્સ એક્ટ 1961 હેઠળ 31 માર્ચ, 2023માં પાન અને આધાર લીંક ન કરાવનારના પાનકાર્ડ ડીએક્ટીવ થઇ જશે મતલબ કે પોતાના પાનકાર્ડનો ઉપયોગ કરી શકશે નહીં .
આ નિયમ હેઠળ કોઇને છૂટછાટ આપવામાં આવી નથી. ફક્ત એનઆરઆઈ ઉપરાંત ભારતના નાગરિક ન હોય તેવા કે 31 માર્ચ, 2023ના જેના 80 વર્ષ કે વધુની ઉંમર હોય તેમજ આસામ, જમ્મુ કાશ્મીર, મેઘાલયના રહેવાસીઓને આમાંથી મુક્તિ અપાય છે.