Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનના પી.આઇનું બિમારીથી અવસાન થતાં પોલીસ બેડામાં સહિત પરિવારમાં શોકની લાગણી

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૧
અમદાવાદ ના ખોખરા પોલિસ સ્ટેશન ના પોલિસ ઈન્સપેકટર   કે એસ ચૌધરી સાહેબ નું સારવાર દરમ્યાન એપોલો હોસ્પિટલ મા સવારે મોત નીપજીયું. એકાદ પખવાડિયા પહેલા તેઓ ને કોરોના અને ન્યુમોનિયા સાથે ની બીમારી ની સારવાર માટે માંદગી ની રજા પર જઈ ને સઘન સારવાર શરુ કરાઈ હતી. બનાસકાઠા ના વતની એવા ચૌધરી સાહેબ ના નિધન ના સમાચાર મળતા પોલિસ બેડામા દુઃખ ની લાગણી સાથે ખોખરા પોલિસ નો સમગઁ સ્ટાફ શોક મા ગરકાવ થયો હતો. થોડાક મહિના પહેલા ખોખરા પોલિસ ઈન્સપેકટર તરીકે તેમની નિમણુંક થતા આ વિસ્તાર મા સૌ કોઈ ને સાથે લઈ ને નાગરિકો ની સેવા મા તત્પર રહેતા અને ફરજ બજાવતા અધિકારી ની અણધારી વિદાય થી સૌ કોઈ સ્તબ્ધ બન્યા હતા. સદગતના દેહને તેમના વતન બનાસકાઠા મા અંતિમવિધી માટે લઈ જવા પરિજનો ભારે હૈયે વ્યવસ્થામા લાગ્યા હતા.

Related posts

શક્તિશાળી ભૂકંપથી સીરિયામાં ૫૩ લાખ લોકો થઈ શકે છે બેઘર

saveragujarat

ગુજરાત કોંગ્રેસના અન્ય ભાષાભાષી સેલના પ્રમુખ તરીકે કરણસિંહ તોમરની નીમણુક કરાઈ

saveragujarat

વરસાદથી શેરડીના પાક.ને નુકશાન થતાં ખાંડના ભાવમાં વધારાની શક્યતા

saveragujarat

Leave a Comment