Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

ભગવાન શ્રી કૃષ્ણના અવતરણ દિનની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં બે અંગદાન થકી ૫ પીડિતોને નવ અવતરણ

ભાવનગરના ૨૦ વર્ષીય અંકિતાબેન અને રાજકોટના ૩૭ વર્ષીય મૈત્રૈય ભાઇ બ્રેઇનડેડ થતા પરિવારજનોએ અંગદાનનો હ્રદયસ્પર્શી ર્નિણય કર્યો
સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૦
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં બે અંગદાન થયા છે. ભગવાન શ્રી કૃષ્ણના અવતરણ દિન જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં થયેલ અંગદાનથી ૫ પીડિત વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.
આ બે બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનમાં ૪ કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. જે સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.
સિવિલ હોસ્પિટલના ૮૫ માં અંગદાનની વિગતો જાેઇએ તો ૨૦ વર્ષીય અંકિતાબેન ગોસ્વામી કે જેઓ ભાવનગરના શિહોર તાલુકાના વતની હતા તેઓને ૧૬ મી ઓગસ્ટે માર્ગ અકસ્માત સાંપડતા સધન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ૧૮ મી ઓગસ્ટના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાનનો હ્યદયસ્પર્શી ર્નિણય કર્યો હતો. અંકિતાબેનના અંગદાનથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.


જ્યારે ૮૬ માં અંગદાનની વિગતમાં ૩૭ વર્ષીય રાજકોટ , જેતપુરના વૈધ્ય મૈત્રૈય ને ૧૬ મી ઓગસ્ટના રોજ ઢડી પડવાથી માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેમને પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તેમને બ્રેઇનડેડ જાહેર કરાતા બે કિડનીનું દાન મેળવવામાં સફળતા મળી છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જાેષી જણાવે છે કે, સિવિલ હોસ્પિટલનો અંગદાન ક્ષેત્રનો સેવાયજ્ઞ અવિરત ચાલુ છે. તબીબો દિવસ-રાત, તડકી- છાયડી, વાર – તહેવાર જાેયા વગર બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોના સહયોગ થી અંગદાન થકી નવીન જીંવન આપવાના ભાવ સાથે ફરજ રત છે. અત્યારસુધીમાં સિવિલ હોસ્પિટલમાં ૮૬ અંગદાનમાં મળેલા ૨૭૧ અંગો થકી ૨૪૮ વ્યક્તિઓને નવ અવતરણ મળ્યું છે. તેમનું જીવન કાર્યક્ષમ બન્યું છે.

Related posts

અમદાવાદમાં નેશનલ કોન્ફરન્સ ઓન ડ્રોન ટેકનોલોજીનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

saveragujarat

ગુજરાત, બિહાર સહિત નવ રાજ્યો બન્યા સાયબર ક્રાઇમના હોટસ્પોટ

saveragujarat

સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં ૩૦૦૦ કરોડથી વધુ વધારો

saveragujarat

Leave a Comment