મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે હવે મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરે પ્રથમ જાહેરમાં આવ્યા છે. છેલ્લા ચાર દિવસથી કોરોનાની સારવાર હેઠળ રહેલા ઉદ્ધવ ઠાકરેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે અને તેઓ આજે શિવસેના ભવન ખાતે પક્ષની રાષ્ટ્રીય કારોબારીમાં હાજરી આપી રહ્યા છે.
આજે બપોરે 1 વાગ્યે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ સેનાભવન ખાતે જવાનો નિર્ણય લીધો હતો અને તેઓ સેના ભવન ખાતે પહોચતા જ હજારો સમર્થકોએ તેમને વધાવી લીધા હતા. આજે શિવસેનાની રાષ્ટ્રીય કારોબારી ચાલુ છે અને તેમાં અનેક મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે.
આ ઉપરાંત હવે આજે રાજયપાલ શ્રી ભગતસિંહ કોશીયારી પણ આગામી 24 કલાકમાં પુન: રાજભવન આવી શકે છે અને હવે મહારાષ્ટ્રના રાજકારણમાં નિર્ણાયક બનશે.
બીજી તરફ બાગી ધારાસભ્યો સામે હવે કાર્યવાહી શરૂ થશે. શિવસેનાના ધારાસભ્ય પક્ષની બેઠકમાં હાજર નહી રહેવા ધારાસભ્યોએ 16 ધારાસભ્યોને તેઓને સભ્યપદેથી ગેરલાયક ઠરાવવા માટે વિધાનસભાના ડે.સ્પીકરને પત્ર લખાયો છે તેના પર હવે નિર્ણય લેવાશે.