સદ્ભાવ પર્વ – ૮૦ મા પ્રાગટ્ય પર્વે સંતો, -હરિભકતોએ કર્યું બ્લડ ડોનેશન
સવેરા ગુજરાત/ તા.28
ગરવી ગુજરાતના મહાનગર અમદાવાદની દક્ષિણે મણિ સમ સોહતા મણિનગરમાં
અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ ગુરુપરંપરાના પંચમ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સદ્ભાવ પર્વ – ૮૦ મા પ્રાગટ્ય પર્વની સંતો-હરિભકતોએ સાથે મળી ઉમંગભેર ઉજવણી કરી હતી. શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં મઘમઘતા જુઈ, મોગરાના પુષ્પોના બાગમાં બિરાજમાન
શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, શ્રી અબજી બાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાની પુનિતમય નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ પુષ્પહાર ધારણ કરી ચરણોમાં બિરાજમાન થયા હતા. સ્વામિનારાયણબાપા સ્વામીબાપા સમક્ષ અન્નકૂટોત્સવની મનોરમ્ય સજાવટ કરવામાં આવી હતી. આ પાવનકારી અવસરે પંચામૃત પૂજન, મહિમાગાન સહ લાઇવ સ્તુતિ વંદના, કેક કટિંગ સેરેમની અર્પણવિધિ,
સદ્ગુરુઓની શબ્દ પુષ્પાંજલિ, આરતીઓ, રક્તદાન શિબિર વગેરે અનેકવિધ કાર્યક્રમો સંપન્ન થયા હતા.
શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે
સનાતન વૈદિક ધર્મમાં ઉદારતાના પાઠ શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાસેથી મેળવ્યા છે. તેઓશ્રીનું પાવનકારી સાંનિધ્ય, સત્સંગ અને પ્રસંગોથી અસંખ્ય મુમુક્ષોના જીવતરને સાર્થક બનાવવાના યજ્ઞમાં સક્રિય રહે છે. તેઓશ્રીમાં પ્રભુભક્તિ, ગુરૂભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સમન્વય છે તેમજ સેવા, સમર્પણ, સહજતા અને સરળતાનાે સંગમ દીપી ઊઠે છે એવી તેઓશ્રીની લોકોત્તર પ્રતિભા છે.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર
આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું પૂજન, અર્ચન કરીને આરતી ઉતારીર હતી અને આશીર્વાદમાં જણાવ્યું હતું કે પ્રેમ, કરુણા, વાત્સલ્યતાના ગુણો આપણાં જીવનમાં સંપાદન કરીએ તો સાચા અર્થમાં સદ્ભાવ ઊજવ્યો કહેવાય.
શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના સંતો , દેશ વિદેશના હરિભક્તોએ સાથે મળીને પરમ ઉલ્લાસભેર શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો ૮૦ મો સદ્ભાવ પર્વ ઉજવ્યો હતો.