સવેરા ગુજરાત,ઇડર
અહેવાલ..મિલાપ નાયક
સાબરકાંઠા : વિર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા હિંમતનગર ટાવર ચોક ખાતે પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું ધારાસભ્યના હસ્તે વિતરણ કરાયું
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે વિરપ્રતાપ ફાઉન્ડેશનના માધ્યમ થી અસહ્ય ગરમીમા પક્ષીઓ માટે હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાના હસ્તે પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામા સેવા ભાવિ લોકોને કુંડા નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ વિનોદચંદ્ર પટેલ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ, ભાજપ તાલુકા સંગઠનના મહામન્ત્રી રાજેન્દ્રસિંહ પઢીયાર, ભમ્મરસિંહ ચૌહાણ સહિતના આગેવાનો આ કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા હતા, વિરપ્રતાપ ફાઉન્ડેશનના ભૂગુવેન્દ્ર સિંહ કુંપાવાત સહીત ફાઉન્ડેશનની ટીમ કાર્યક્રમામા હાજર રહ્યા હતા. મિતુલભાઇ વ્યાસ, મયુરભાઈ પ્રજાપતિ દ્વારા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું,