અમદાવાદમાં પરિવારના ચાર સભ્યોની હત્યા બાદ પત્નીના પ્રેમીની હત્યા કરવાનું વિનોદનું સ્વપ્ન રોળાયું : એલસીબી પોલીસે દબોચી લીધા
સવેરા ગુજરાત /અમદાવાદ તા.૩૧ :પાંચેક દિવસ અગાઉ ઓઢવ પોલીસ વિસ્તારમાં દિવ્યપ્રભા સોસાયટીમાં પત્ની, બે બાળકો તથા વડ સાસુનું મર્ડર કરનાર આરોપી વિનોદ ગાયકવાડને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશ દાહોદ બોર્ડર પરથી મોડી રાતે ઝડપી પાડ્યો છે. ત્યારે પોલીસ પૂછપરછમાં આરોપી વિનોદે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. પત્નીના છેલ્લા બે વર્ષથી અનૈતિક સબંધ સામુહિક હત્યાનું કારણ બન્યુ હતુ. પરિવારને માર્યા બાદ વિનોદ પત્નીના પ્રેમીને પણ મારવા નીકળ્યો હતો, પરંતુ બાદમાં વિચાર પડતો મૂક્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ એસીપી ડીપી ચૂડાસમાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યુ કે, વિનોદ ગાયકવાની પત્ની સોનલને બે વાર આડા સંબંધો હતા. એકવાર તેનો દીકરો માતાને પ્રેમી સાથે જોઈ ગયો હતો. આ વિશે તેણે પિતાને જાણ કરી હતી. ત્યારથી વિનોદે મનોમન પત્નીના મર્ડરનો પ્લાન બનાવ્યો હતો. 26 માર્ચના દિવસે તેણે મર્ડર કરવાનુ નક્કી કર્યુ હતું. પ્લાનિગ મુજબ તેણે દીકરા ગણેશ (ઉંમર 17 વર્ષ) ને શ્રીખંડ લેવા મોકલી દીધો હતો. તો દીકરી પ્રગતિ (ઉમર 15 વર્ષ) ગુટખા લેવા મોકલી હતી. ત્યાર બાદ તેણે પત્નીને આંખે પાટા બાંધી સરપ્રાઈઝ આપવાની વાત કરી હતી, અને તેને છરા મારીને પતાવી હતી. આ બાદ પોતાના બંને સંતાનોનું શુ થશે તે વિચારમાં તેણે દીકરો અને દીકરી ઘરમાં આવ્યા બાદ બંનેને છરાના ઘા મારીને પતાવી દીધા હતા. તો વડ સાસુ સુભદ્રાબેન સાથે પણ તેને પહેલેથી રકઝક ચાલતી હતી. તે પત્નીને ચઢાવતી હતી, તેથી વડ સાસુને બોલાવીને મારી નાંખી હતી. આ બાદ તેણે સાસુને પણ મારવાનો પ્લાન બનાવીને તેમને ઘરે બોલાવ્યા હતા. તેણે સાસુને છરા માર્યા હતા. પરંતુ બાદમાં દયા ખાઈને તેમને છોડી દીધા હતા. તેમને થોડીવાર ઘરમાં બેસાડીને જવા દીધા હતા.