Savera Gujarat
Other

ગુજરાત કોંગ્રેસમાં મુખ્યમંત્રીના દાવેદાર તરીકે પાટીદાર આગેવાન નરેશ પટેલના નામની રાજકિય ચર્ચા

નરેશ પટેલની રાષ્ટ્રીય કોંગ્રેસ હાઇકમાન્ડના આગેવાનો સાથે ટેલિફોનિક ચર્ચા

સવેરા ગુજરાત/અમદાવાદ:વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. આજકાલ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ રાજનીતિમાં જાેડાવવા અંગે ભારે ચર્ચા ચાલી રહી હતી, જેનો અંત આવ્યો છે. નરેશ પટેલે આખરે કોંગ્રેસમાં જાેડાય તેવું લાગી રહ્યું છે. રાજસ્થાનના જયપુરમાં પ્રશાંત કિશોર સાથે નરેશ પટેલની મુલાકાત થઈ છે. નરેશ પટેલે આખરે કોંગ્રેસમાં જાેડાય તેવા પૂર્ણ સંકેતોે રાજકિય સમીકરણો જાેતાં જાેવા મળી રહ્યા છે. જાે કે નરેશ પટેલની દિલ્હી કોંગ્રેસ હાઇકમાન્ડના આગેવાનો સાથે ટેલિફોનિક વાતચીત થઇ હોવાનુ અને ગુજરાતમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે ખોડીયાર ધામના આગેવાન નરેશ પટેલનું નામની ચર્ચાથી રાજકારણમાં ગરમાવો ફૂંકાવા લાગ્યો છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નરેશ પટેલની અગાઉ રાહુલ ગાંધી સાથે ટેલિફોનિક વાતચીત થઇ હતી. જેમાં નરેશ પટેલે પોતાની તમામ માંગણીઓ રાહુલ ગાંધી સામે મુકી હતી.

આ ઉપરાંત નરેશ પટેલને કોંગ્રેસની કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવવામાં આવશે. આ ઉપરાંત પક્ષમાં તેમની વાતને વધારે મહત્વ આપવા અંગે પણ સંમતિ સધાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલે રાજકારણમાં આવવાની જાહેરાત કરી ત્યારથી જ ગોપાલ ઇટાલિયા તેમને આપમાં અને હાર્દિક પટેલ તેમને કોંગ્રેસમાં લાવવા માટે પ્રયાસો કરી રહ્યા હતા. પરંતુ આખરે નરેશ પટેલ હાર્દિકનો “હાથ” મજબુત કરવા માટે આવી પહોંચ્યા છે. તેઓ ચૈત્રી નવરાત્રી દરમિયાન અધિકારીક રીતે કોંગ્રેસમાં જાેડાવાની જાહેરાત કરી શકે છે. ગુજરાતમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરીને રાહુલ ગાંધીની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જાેડાશે. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી તો હાજર રહેશે આ ઉપરાંત પ્રિયંકા ગાંધી સહિત અનેક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહે તેવી શક્યતાઓ પણ સેવવામાં આવી રહી છે. સુત્રો અનુસાર નરેશ પટેલની સાથે સાથે પ્રશાંત કિશોર પણ અધિકારીક રીતે કોંગ્રેસમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન જાેડાઇ શકે છે. તેઓને રાષ્ટ્રીય કોંગ્રેસના કેમ્પેઇન કમિટીના કર્તાધર્તા બનાવવામાં આવી શકે છે. જેથી રાષ્ટ્રીય સ્તરના તમામ કેમ્પેઇન પ્રશાંત કિશોર સંભાળશે. એટલે કે ગુજરાત ખાતે કોંગ્રેસનાં ચાણક્ય નરેશ પટેલ અને રાષ્ટ્રીય સ્તરે પ્રશાંત કિશોર રહેશે.

 

Related posts

ભાજપ અને કોંગ્રેસનું ૧૬ મહિલા ભાવિ નક્કી કરશે

saveragujarat

‘Service To Mankind Award’ થી સન્માનીત થયા ડૉ.સોનલ આંચલિયા.

saveragujarat

વડાપ્રધાનતા.28એ જામનગર અને રાજકોટમાં પ્રચાર રેલી સંબોધશે

saveragujarat

Leave a Comment