સવેરા ગુજરાત,રાજકોટ તા.22
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબકકાનો પ્રચાર તા.28ના રોજ સંપન્ન થશે અને તે પુર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત જામનગર અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાયુવેગે પ્રચાર કરશે. મોદી તા.28ના રોજ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે.
તેઓ સૌરાષ્ટ્રની મહત્વની ગણાતી બેઠકોમાં પ્રચારનો અંતિમ ઉન્માદ હશે તે સમયે જબરા રોડ શો સાથે રેલીને સંબોધીત કરે તેવા સંકેત છે. જામનગર શહેરની બે બેઠકો તેમજ ગ્રામ્યની એક ઉપરાંત જીલ્લાની બેઠકો પર તેમજ રાજકોટમાં જ ગ્રામ્ય સહિત ચાર બેઠકો અને જસદણ-વાંકાનેર સહિતની બેઠકોમાં અંતિમ ઘડીનો પ્રચાર થઈ જાય તે જોવા ભાજપની તૈયારી છે અને તે સાથે જ તા.28ના સાંજે જાહેર પ્રચારનો અંત આવશે.