Savera Gujarat
Other

અમદાવાદમાં બોર્ડ ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત

સવેરા ગુજરાત/અમદાવાદ : આજે પરીક્ષા દરમિયાન રખિયાલમાં આવેલી સી.એલ સ્કુલમાં ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો. જેના પગલે સરસપુરની શારદાબેન હોસ્પિટલ ખાતે તત્કાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વિદ્યાર્થી એકાઉન્ટનું પેપર લખી રહ્યો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો હતો. જ્યાં તેને વેન્ટીલેટર પર રખાયો હતો. જો કે તેને બચાવવામાં સફળતા મળી નહોતી. એટેકનાં કારણે તેનું મોત નિપજ્યું હતું. ગોમતીપુરમાં રહેતા અમાન આરીફ શાખ નામનો વિદ્યાર્થી સી.એલ સ્કુલમાં પરીક્ષા આપવા માટે પહોંચ્યો હતો. જો કે દરમિયાન પરીક્ષાની શરૂઆતમાં જ વિદ્યાર્થીને ઉલટી થઇ હતી. ત્યાર બાદ અચાનક તેને છાતીમાં દુખાવો શરૂ થયો હતો. જેના પગલે વિદ્યાર્થી ત્યાં અર્ધબેભાનાવસ્થા જેવી સ્થિતિમાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે શારદાબેન હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર્સ દ્વારા તેને ટુંકી સારવાર આપવામાં આવી હતી જો કે એટેકનાં કારણે તેનું મોત નિપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આવી ઘટના 2018 માં  આંકલાવમાં બની હતી. વિદ્યાર્થી સંસ્કૃતનુ પેપર લખી રહ્યો હતો ત્યારે ઢળી પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓને પહેલા જ તમામ વાલી અને શિક્ષકો ઉપરાંત મંત્રીઓ દ્વારા પણ વારંવાર કહેવામાં આવતું હોય છે કે, આ માત્ર એક પરીક્ષા છે કદાચ આમાં નિષ્ફળ ગયા તો અન્ય મોકો મળશે. વિદ્યાર્થીઓ તેમ છતા પણ ખુબ જ ટેન્શરમાં રહેતા હોય છે. પરિણામ અને પરીક્ષા બાબતે તેઓ ખુબ જ ટેન્સ રહેતા હોય છે. આવી સ્થિતિમાં મહત્વનું છે કે, વિદ્યાર્થીઓ હળવા મને પરીક્ષા આપે.

Related posts

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન-રાજકોટ પ્રેરિત ‘અમૃત મહોત્સવ’ ને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

saveragujarat

ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ

saveragujarat

રાજ્ય સરકારના પદાધિકારીઓ અને રાજ્ય દિવ્યાંગજન આયુકતો માટે બે દિવસીય સંવેદના કાર્યશાળાનું આયોજન કરાયું.

saveragujarat

Leave a Comment