Savera Gujarat
Other

સૌરાષ્ટ્ર ના યોગી આદિત્યનાથ ગણાતા સંત ઇન્દ્રભારતી બાપુ હવે રાજકારણમાં જોડાશે

સવેરા ગુજરાત:-  એક ઇન્ટરવ્યૂમાં ગિરનાર સાધુ મંડળ ના પ્રમુખ ઇન્દ્રભારતી બાપુ એ કહ્યું કે ધર્મ સત્તા અને રાજ સત્તા જયારે ભેગી થાય ત્યારે તેનું પરિણામ લોકો ના હિત માટે થતું હોય છે . અને ધર્મ સત્તા અને રાજ સત્તા નું પરિણામ તમે યોગી અદિત્યનાથ ના ઉત્તર પ્રદેશ માં જોઈ લીધું છે


બાપુ ઇન્ટરવ્યૂમાં માં યોગી અદિત્યનાથ નો ઉલ્લેખ કરી પોતે પણ આદિત્યનાથ જેવું કાર્ય ગુજરાતમા પણ કરવા માંગતા હોય તેવું જણાય છે આગળ ઇન્દ્રભારતી બાપુ એ કહ્યું કે ગાય માતા ને રાષ્ટ્ર માતા નો દરજ્જો પણ ટુક સમયમાં આપવામાં આવશે
આ વિધાન પર થી સ્પષ્ટ થાય છે કે બાપુ રાજનીતિ માં આવી ને ઘણું કામ કરવા માંગે છે જો કે તાજેતરમાં શિવરાત્રીના મેળામાં ઇન્દ્રભારતી બાપુના આશ્રમ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ,પૂનમબેન માડમ, તેમજ અન્ય પાંચ થી સાત મંત્રીઓ સાથે ભાજપ ના તમામ નેતાઓની આશ્રમે ખાસ ઉપસ્થિત રહી હતી ઇન્દ્રભારતી બાપુના આસન ઉપર ભુપેન્દ્ર પટેલ બેઠા ત્યારે એક ભાજપના મંત્રીએ કટાક્ષમાં કહેલું કે બાપુ હવે તમારે મોટું આસન સંભાળવાનું છે અને બાપુએ તાજેતરમાં પોતાના કામ નો ભાર હળવો કરવા ઘંટવાડ આશ્રમ ના ગાદીપતિ મુક્તાનંદ બાપુ ને મહામંડલેશ્વર નું પદ આપ્યું અને ઘાટવડ આશ્રમના ઉતરાધિકારી તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા

Related posts

અરવલ્લી મોડાસા ખાતે ધરતીપુત્રોને સ્માર્ટ ફોન સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો

saveragujarat

પાંચ વર્ષમાં સૌથી ઓછો દંડ વર્ષ ૨૦૨૨માં વસૂલ કરાયો

saveragujarat

આવતીકાલે મૂન બનશે સુપર મૂન !

saveragujarat

Leave a Comment