સવેરા ગુજરાત/અંબાજી:-
સાધુ-સંતો દ્વારા શિવજીની શોભાયાત્રાનું સ્વાગત પુષ્પવર્ષા દ્વારા કરવામાં આવ્યું
બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુર થી 60 કીમી દૂર આવેલા અંબાજી ધામ મા શિવરાત્રી ના પાવન પર્વ પર વિવિધ શિવમંદિરો મા વિશેષ પૂજા ,મહાપુજા ,ભસ્મ આરતી ,પ્રસાદી અને ઠંડાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું ,વર્ષ મા માર્ચ મહિનામાં આવતી શિવરાત્રી ના પર્વે અંબાજી નગર આખું ભગવાન શિવ ની ભક્તિ મા તલ્લીન જોવા મળ્યું હતું ,અંબાજી આસપાસ આવેલા તમામ શિવમંદિરે ભક્તો દર્શન માટે જોવા મળ્યા હતા ,આજના પર્વે ભક્તો શિવ ની આરાધના કરતા સાથે પૂજા અર્ચન કરી મહાદેવ ને પ્રસન્ન કરતા પણ જોવા મળ્યા હતા ,અંબાજી આસપાસ ઘણા મહાદેવ આવેલા છે સાથે અંબાજી મા પણ ઘણા મહાદેવ આવેલા છે પણ અંબાજી ખોડીવડલી સર્કલ પર આવેલા ” હર્ણેશ્વર મહાદેવ ” વિશે કહેવત છે કે અંબાજી વારંવાર ,કોટેશ્વર અનેકવાર અને હર્ણેશ્વર એકવાર .આમ શિવરાત્રી ના દિવસે આ મંદિર પર વહેલી સવારે 5 વાગ્યા થી ભક્તો ની ભારે ભીડ દર્શન અને પૂજા માટે જોવા મળી હતી ,આ મંદિર ની પૂજા કરતા ભક્તો આજે વિદેશ અને મોટા ઉધોગપતી બની ગયા છે
જગત જનની માં અંબાના યાત્રાધામ માં શિવરાત્રીનો પર્વ ધામધૂમ થી ઉજવાયો , શિવજીની પાલખી યાત્રા નો વિશેષ આકર્ષણ રહ્યો ”
માનસરોવર સામે અતિ પ્રાચીન અને પૌરાણિક ધુણી ભોલાગીરી મહારાજ ની આવેલી છે વર્ષો બાદ ત્યાં ધૂણી ખોલવામાં આવી છે અને સાધુ-સંતો દ્વારા આ વર્ષે પાલખી યાત્રા નો ધૂમધામથી ફુલ વર્ષા દ્વારા સ્વાગત કરવામાં આવ્યો હતો અને સાધુસંતોની પરંપરાગત રીતિ રિવાજ પ્રમાણે દ્વારા પાલખી યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું
6 વર્ષ થી નીકળે છે પાલખી યાત્રા
શક્તિપીઠ અંબાજી ના 7 નંબર ગેટ પાસે આવેલા પરશુરામ મહાદેવ થી બપોરે શિવજીની પાલખી યાત્રા નીકળી હતી અને વિવિધ મંદિરો થઈને કૈલાશ ટેકરી ખાતે યાત્રાની પુર્ણાહુતી થઇ હતી ,શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા છેલ્લા 5 વર્ષ થી આ પાલખી યાત્રા નીકળે છે ,પાલખી યાત્રા મા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા , અંબાજી ધાર્મિક સેવા સમિતિ સહિતના ભક્તો જોડાયા હતા ,આજે આખું અંબાજી નું ધામ ભોલેનાથ ની ભક્તિ મા તરબોળ થઇ ગયું હતું