સવેરા ગુજરાત/ગાંધીનગર:- મળતી માહિતી મુજબ યુક્રેનમાં ફસાયેલા નાગરિકો માટે બી.જે.પી.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા હેલ્પલાઇન નંબરની શરૂઆત કરવામાં આવી છે
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા પ્રદેશ કાર્યાલય “કમલમ” ખાતે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો. જે પૈકી ગુજરાતના વાલીઓ, સગા-સંબધીઓ આ નંબર પરથી સરળતાથી જાણકારી મેળવી શકશે અને કોઈપણ પ્રકારની મદદ પૂરી પાડી શકાશે.
પ્રદેશ કાર્યાલય હેલ્પલાઇન નંબર:-
૦૭૯-૨૩૨૭૬૯૪૪
+૯૧ ૯૪૦૮૨ ૧૬૦૨૯