Savera Gujarat
Other

અરવલ્લીઃ માલપુર ખાતે ભારતીય જનક્રાંતિ પાર્ટી ( રા.જ.પા.) દ્વારા કાર્યાલય નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

સવેરા ગુજરાત:-

અરવલ્લી જીલ્લાના માલપુર ખાતે ભારતીય જનક્રાંતિ પાર્ટી (રા.જ.પા. ) ના કાર્યાલયનું માલપુર ના મોડાસા રોડ પર ખેતીવાડી યાર્ડ ની બાજુના કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી દિલીપસિંહ ગોહિલ (બાપુ ) ના હસ્તે કાર્યાલય નું શુભારંભ કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે પ્રદેશ માંથી શ્રી નવલ માહેશ્વરી (જનરલ સેક્રેટરી ગુજરાત સ્ટેટ ), શ્રી રોનક ચાવન (યુવા સંગઠન મંત્રી ગુજરાત સ્ટેટ ),શ્રી કાંતિભાઈ પટેલ (પ્રમુખ અરવલ્લી જીલ્લા રાજપા ) અને મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે અરવલ્લી જીલ્લામાં આવનારી ત્રણેય વિધાનસભા સીટ જંગી બહુમતી થી રાજપાના ઉમેદવાર ને જીતાડવા માટે પ્રદેશ અધ્યક્ષ બાપુ દ્ધારા આહવાન કરવામાં આવ્યું હતું…આ પ્રસંગે હોદેદારો ની નિમણુંક કરવામાં આવી હતી ત્યારે અરવલ્લી જીલ્લા રાજપા મહામંત્રી તરીકે મેહુલભાઈ પટેલ (પત્રકાર ), કાલીદાસ પરમાર (કે.વી.પરમાર ) અરવલ્લી જીલ્લા અનુસૂચિત જાતી પ્રમુખ,શ્રી વીનોદભાઈ ઢૂંસા (રાજપા ભીલોડા તાલુકા પ્રમુખ )અને કલ્પેશભાઈ ડાભી ( અરવલ્લી જીલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ ) તરીકે ની વરણી કરવામાં આવી અને ખેશ પહેરાવી ને પાર્ટી માં સ્વાગત કરવામાં આવ્યું હતું

Related posts

યુક્રેનમા ફસાયેલા અરવલ્લીના વિધ્યાર્થી પરિજનોની મુલાકાત લેતા કલેક્ટર નરેન્દ્રકુમાર મીના

saveragujarat

મોરબી જિલ્લામાં વાવાઝોડા સંદર્ભે થયેલી કામગીરીનું મુલ્યાંકન કરતા રાજય શિક્ષણ અને પ્રભારી મંત્રી પ્રફુલભાઈ

saveragujarat

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ, ૧૨થી ૧૪ જૂન વચ્ચે ટકરાઈ શકે છે

saveragujarat

Leave a Comment