સવેરા ગુજરાત:
દિલ્હી-જયપુર રોડ ઉપર એક ગમખ્વાર અકસ્માત થયો છે.જેમાં ગુજરાતના ચાર પોલીસ કોન્સ્ટેબલ સહિત 5 લોકોના મોત થયા છે. ભાવનગર પોલીસ બેડાના ચાર પોલીસ કોન્સ્ટેબલના અકસ્માતના સમાચાર મળતા અધિકારીઓ જયપુર રવાના થઇ ગયા છે.
દિલ્હી-જયપુર રોડ ઉપર જયપુરના શાહપુર નજીક એક ગમખ્વાર અકસ્માત થયો. જેમાં ગુજરાતના ચાર પોલીસ કોન્સ્ટેબલ અને એક આરોપી સહિત 5 લોકોના મોત થયા છે. આ પોલીસ કોન્સ્ટેબલ એક આરોપીને લઇને પરત ભાવનગર આવી રહ્યા હતા. દરમિયાન કાર બેકાબૂ બનતા ડિવાઇડર સાથે અથડાયા બાદ ઝાડ સાથે ટકરાઇ હતી..જેમાં ચાર પોલીસ કોન્સ્ટેબલ અને એક આરોપી સહિત પાંચ લોકોના મોત થયા. ભાવનગર પોલીસ બેડાના ચાર પોલીસ કોન્સ્ટેબલના અકસ્માતના સમાચાર મળતા અધિકારીઓ જયપુર રવાના થઇ ગયા છે. પ્રાપ્ત વિગતો મુજબ મૃતક પોલીસ કર્મીઓના નામ .1 ભીખુભાઈ બુકેરા, કોન્સ્ટેબલ, 2 શક્તિસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ. 3 મનસુખ બાલધીયા, કોન્સ્ટેબલ. 4 ઈરફાન અગવાન , કોન્સ્ટેબલ મૃતક પોલીસ કર્મીઓ ભાવનગરમાં બજાવતા હતા ફરજ