Savera Gujarat
Other

ભાજપે ભ્રષ્ટાચાર કરવા IAS અને IPSને એજન્ટ બનાવીને કામે લગાડ્યા હોવાનો સંસનીખેજ આરોપ,કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુનો મોટો આરોપ.

ઈન્દ્રનીલ રજ્યગુરુ એ ભાજપ પર મોતો આરોપ લગાવતા જણાવ્યુ હતું કે ભ્રષ્ટાચારમાં ભ્રષ્ટ થયેલી ભાજપે રાજ્યમાં ક્યાય ભ્રષ્ટાચાર ઓછો કરાવવામાં કે ડરાવવામાં વિજયભાઈ નબળા પડતા હોવથી પાછલી બારીએ પાટિલને બેસાડીને ગુજરાત પર દમનનું રાજકારણ ચાલુ કરાયું છે.

સવેરા ગુજરાત ન્યુઝ/અમદાવાદ: રાજકોટના CP પર ભાજપના નેતાના તોડકાંડ આરોપ બાદ રાજકારણે રંગ પકડ્યો છે. આજ રોજ કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલભાઈ રાજ્યગુરુ દ્વારા તિખું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. આજે કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગૂરૂએ પોલીસ અને ભાજપ નેતા પર મોટા આરોપ લગાવ્યા છે.

ઈન્દ્રનીલ જણાવી રહ્યા છે કે નીતિન ભારદ્વાજ અને મનોજ અગ્રવાલે લૂંટ ચલાવી છે. IAS અને IPSને એજન્ટ બનાવીને કામે લગાડ્યા છે. ભાજપના ધારાસભ્યની ફરિયાદ છતાં કાર્યવાહી કેમ નહીં ? ભાજપના નેતાઓ હવે આરોપો કરે છે અત્યાર સુધી ક્યાં હતા? લોકો વચ્ચે જઈને બોલવા કરતાં રામભાઇ સસ્પેન્ડ કરાવે તો ખરા કહેવાય. ભાજપ સરકાર ભ્રષ્ટ અધિકારીને સસ્પેન્ડ નહીં કરે, કારણ કે ભાજપની નીતિ લોકશાહી વિરોધની છે. સરકાર જ ભ્રષ્ટાટારીઓને છાવરી રહી છે. જો હિંમત હોય તો મનોજ અગ્રવાલને સસ્પેન્ડ કરી બતાવે. ફરી ક્યારેય પાછા ન આવે તેવા પગલા લઇ બતાવે.

ઇન્દ્રનીલ રાજગુરૂએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે અરવિંદ રૈયાણી અને ગોવિંદ પટેલ ખોટા માથા કૂટવાનું બંધ કરે. તેમણે વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ભાજપના નેતા નીતિન ભારદ્વાજના પગમાં કમિશ્નર મનોજ અગ્રવાલ પડતા હતા. નીતિન ભારદ્વાજ અને કમિશનર મનોજ અગ્રવાલ મળીને કામો કરતા હતા.

તેમણે ઉમેર્યું કે, કોઈ આઈપીએસ, કે આઈએસને આ ભાજપ સરકાર સસ્પેન્ડ નહીં કરે, કારણ કે ભાજપ સરકાર તેમને હાથો બનાવીને ભ્રષ્ટાચાર કરી રહી છે. તેઓ તેમને એજન્ટ બનાવીને ઉપયોગ કરી રહ્યા છે. હવે જો એજન્ટને બીક લાગી જાય તો ભાજપ માટે રૂપિયા બંધ થઈ જાય. તેમના દરેક બે નંબરના ધંધા છે તે ઓફિસરો બહાર લાવે તો આ સરકાર ઉંધી ઘાલીને ક્યા જવું તેનો પર વિચાર કરવો પડે તે હદનું ખરાબ તંત્ર આ ભાજપની સરકારમાં ચાલી રહ્યું છે. પછી ભલે ભાજપમાં વિજયભાઈ હોય, હું મુખ્યમંત્રી તરીકે પાટિલનું નામ એટલે બોલીશ, કારણ કે ઓફિસમાં બેસાડવા માટે એક નામ રાખ્યું છે. બાકી પાટિલ હોય કે વિજય ભાઈ હોય, ભાજપમાં ભ્રષ્ટાચાર ન કરે તો કોઈ નેતા જ ન બને તેવી હાલત છે. આવી સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં છે. ત્યારે વેપારીઓ હોય કે ઈન્ડસ્ટ્રીયલિસ્ટ હોય.. જે કોઈ તમામ લોકોને સરકારી તંત્ર સાથે વ્યવહાર પડતો હોય તેમને ખ્યાલ છે કે કંઈ હદ  સુધી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.

તેઓએ વધુમા જણાવ્યું હતું કે, હવે મધ્યમ વર્ગીય લોકોને ખાસ સમજવાની જરૂર છે. તમારી સોસાયટી સુધી ભ્રષ્ટાચારનો રેલો પહોંચી ગયો છે. તમે સરકારી તંત્રમાં ક્યાય જતા નથી એટલે ખ્યાલ આવતો નથી કે તમારા મતોથી બનેલી સરકાર તમારા ઘર સુધી દબાણપૂર્વક પહોંચવાની ફિરાક્મા છે. હવે ભાજપ સરકાર જાગૃત થાય તેવી કોઈ ઊંડે ઊંડે પણ શક્યતા નથી, કારણ કે તેમની નિતી ખોરા ટોપરા જેવી છે. લોકશાહીની વિરુદ્ધની છે.

અત્રે ઉલેખનીય છે કે રાજકોટ-તોડકાંડના ગાંધીનગરમાં જોરદાર પડઘા પડ્યા છે. રાજકોટના વધુ એક ધારાસભ્યને ગાંધીનગર બોલાવાયા છે. રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખા સાગઠિયાને ગાંધીનગર બોલાવાવવામા આવ્યા છે. આજે ત્રણેય ધારાસભ્યો સાથે મળી ને રજૂઆત કરી શકે છે.

Related posts

રાજકોટમાં ૬૦૦ કરોડનુ ફુલેકું ફેરવનાર આરોપીની ધરપકડ

saveragujarat

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત માટે આજે અમદાવાદ આવી પહોંચ્યાં

saveragujarat

દિવાળી પર્વમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સેવાનો મહાયજ્ઞ

saveragujarat

Leave a Comment