રાજકોટ-અમદાવાદ સહિતના મહાનગરોમાં ઈંડા-નોનવેજની લારી હટાવવાના મુદ્દે વિવાદ અને રાજય સરકારમાં જ વિરોધાભાસી સુર વચ્ચે એક સર્વેમાં એવો ખુલાસો થયો છે કે ગુજરાતની 40 ટકા વસતી માંસાહાર આરોગે છે. રાજસ્થાન, પંજાબ, હરીયાણા જેવા રાજયો કરતાં પણ ગુજરાતમાં ટકાવારી વધુ છે. ગુજરાતમાં મહિલાઓ કરતા પુરૂષોમાં નોનવેજ ખાવાનું ચલણ વધુ છે.રાજસ્થાન કરતાં આ પ્રમાણ માત્ર 25 ટકા વસ્તી જ માંસાહારી છે અને દેશનું સૌથી મોટુ શાકાહારી રાજય છે. સુત્રોએ એવો નિર્દેશ કર્યો છે કે આ આંકડાઓ 2024 ના સર્વેનાં છે અત્યારે માંસાહારીની ટકાવારી વધુ મોટી હોઈ શકે છે. નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે આઝાદી કાળથી પંજાબ વેજીટેરીયન રાજય રહ્યું છે.ગુજરાતમાં માંસાહાર વધુ ખવાતો હોવાનું સ્વીકાર્યા વિના છુટકો નથી. કોઈપણ સમાજ કે જ્ઞાતિનાં યુવાવર્ગમાં માંસાહારનું ચલણ વધ્યુ છે.
previous post