Savera Gujarat
Other

આર્યનના જેલવાસથી શાહરૂખ પણ જમતો નહતો, માત્ર કોફી પીતો: શારીરિક નબળાઈ દેખાય છે

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં 25 દિવસના જેલવાસ ભોગવ્યા બાદ શાહરૂખનો લાડલો આર્યનને ગુરૂવારે બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. આજે આર્યન ખાન જેલમાંથી બહાર આવશે અને આટલા દિવસો પછી તેને તેના ઘરે મન્નત જવા મળશે. આર્યનને જામીન મળતા જ મન્નતમાં ઉજવણીનો માહોલ છે. જયારે ચાહકોએ ઘરની બહાર ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. ત્યારે શાહરૂખે આર્યનના વકીલો સાથે તસ્વીર માટે પોજ આપ્યો હતો. અને ભગવાનનો આભાર માન્યો હતો.

આ તસ્વીરમાં શાહરૂખ લાંબા સમય બાદ હસતો જોવા મળી રહ્યો છે. જોકે ઘણા ચાહકોને લાગ્યુ કે શાહરૂખ થોડો કમજોર લાગી રહ્યો છે તેજ સમયે આર્યનના વકીલ મુકુલ રહતોગીએ પણ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે આ સમય શાહરૂખ અને ગૌરવી માટે ઘણો મુશ્કેલભર્યો રહ્યો છે. મુકુલ રહતોગીએ કહ્યું કે શાહરૂખે પોતાનું તમામ પ્રોફેશ્નલ કામ છોડી દીધુ અને જીવ રેડીને આર્યનને બહાર કાઢવામાં જ લાગ્યો હતો. મુકુલ રહતોગીએ વધુમાં કહ્યું કે શાહરૂખે ઘણા સમયથી ખાધુ પણ નથી અને માત્ર કોફી પીતો હતો.

આ ઘટનાની શાહરૂખની તબિયત પર ઘણી અસર પડી તે વાતને નકારી શકાય નહીં શાહરૂખ દક્ષિણ મુંબઈના ટ્રાઈડેન્ટ હોટલમાં રોકાયો હતો જયાં મુકુલુ રહતોગી પણ ત્યાં જ હતો. મીડિયા રિપોર્ટસ મુજબ માત્ર શાહરૂખ જ નહીં પરંતુ ગૌરી ખાનની તબિયત પણ ખરાબ થઈ છે. સેશન્સ કોર્ટે વારંવાર જામીન અરજી ફગાવી દેતા ગૌરી ખૂબજ નારાજ થઈ ગઈ હતી ઘણા લોકોએ કહ્યું કે ગૌરી તેના મિત્રો સાથે ફોન પર વાત કરતી વખતે રડી રહી હતી.

તો બીજી તરફ આર્યન ખાનની રિહાઈ પર તેની બહેન સુહાના ખાને એક પોસ્ટ શેર કરી છે જે હવે સોશ્યલ મીડિયા પર જડપથી વાયરલ થઈ રહી છે. સુહાના ખાને પોતાના ઓપિશ્યલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસ્વીરોથી બનેલી એક કોલાજ તસ્વીર શેર કરી છે જે તેની બાળપણની તસ્વીરોથી બનેલો છે. આ કોલાજના તમામ ચિત્રો એક જ સમયના છે. તસ્વીરમાં સુહાના અને આર્યન તેમના પિતા શાહરૂખ ખાન સાથે રળતા જોઈ શકાય છે.

આ દરમ્યાન સુહાના અને આર્યન કેમેરામાં વિચિત્ર એકસપ્રેશન આપી રહ્યા છે. સાથે શાહરૂખ ખાન પણ પોતાના બાળકો સાથે ખુશ દેખાય રહ્યો છે. આ તસ્વીર સાથે સુહાનાખાને એક કયૂટ કેપ્શન આપ્યું છે જેમાં તેને વ્યકત કર્યુ છે કે તેના પિતા અને ભાઈને તે ખૂબ પ્રેમ કરે છે. સુહાનાએ તસ્વીર સાથે લખ્યુ છે ‘આઈ લવ યુ’. શાહરૂખ ખાનની સાથે આર્યન અને સુહાનાની આ તસ્વીર ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. મીડિયારિપોર્ટસ મુજબ શાહરૂખઅને ગૌરી જાતે જ જેલમાં જશે અને આર્યનને ઘરે લાવશે. અથવા પૂજા દદલાણી ને શાહરૂખના બોડીગાર્ડ પણ આર્યનને ઘરે લાવવા માટે આજે આર્થર રોડ જેલ જઈ શકે છે.

Related posts

નાણામંત્રી તરીકે કનુ દેસાઈ આ વખતે બીજી વખત બજેટ રજૂ કર્યું

saveragujarat

અમદાવાદના આંગણે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી

saveragujarat

ગાંધીનગર RTOમાં આર્મીના નામે ૧૦૦૦થી વધુ બોગસ લાયસન્સ ઈશ્યૂ કર્યા

saveragujarat

Leave a Comment