Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

જેતપુરના ઉપલેટામાં ભંગારના ગોડાઉનમાં ફ્રીઝનું કમ્પ્રેસર ફાટતા થયો બ્લાસ્ટ, 2 લોકોના થયા મોત

જેતપુરના ઉપલેટામાં થયેલા બ્લાસ્ટમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જો કે બ્લાસ્ટ મામલે હજુ પણ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરતું જુના ફ્રીઝનું કમ્પ્રેસર ફાટતા ઘટના બની હોવાનું મનાઈ રહ્યું છે.

ઉપલેટામાં જૂની કટલરી બજાર પાસે આજે થયેલા વિસ્ફોટમાં બે લોકોના મોત થયા હતા, જેના કારણે ભંગારના ગોડાઉનમાં અરાજકતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઘટનામાં બે લોકોના મોત થયા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પીએમ માટે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

જોકે, બ્લાસ્ટમાં બે લોકોના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. વિસ્ફોટ બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો, સ્થાનિકો અને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસે ભીડને કાબૂ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે 75માં સ્વતંત્રતા દિન નિમિતે

saveragujarat

ગુજરાતની જનતા જાગૃત છે, તેઓ ભ્રષ્ટ રાજકારણીઓની દાળ સ્વીકારશે નહીંઃ નંદી

saveragujarat

અજિત પવાર શિંદે સરકારમાં જાેડાયા, ડેપ્યુટી સીએમ બન્યા

saveragujarat

Leave a Comment