Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ભારત-ફીજી વચ્ચે વિઝા મુક્તિ કરારો પર હસ્તાક્ષર થયા

નવી દિલ્હી, તા.૧૬
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર હાલ ફિજીના પ્રવાસે છે. ગઈકાલે તેમણે નાડીમાં ૧૨મા વિશ્વ હિન્દી સંમેલનમાં હાજરી આપી હતી. આજે તેઓએ ફિજીના વડાપ્રધાન સાથે મૂલાકાત કરી હતી. બેઠકમાં બંને દેશો વચ્ચે સહયોગ વધારવા પર વાતચીત થઈ હતી. બેઠક બાદ ભારતના વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે કહ્યું કે, ભારત અને ફિજી ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે ખૂબ સારા સંબંધો ધરાવે છે. બંને દેશો વચ્ચે વિઝા મુક્તિ કરાર પર હસ્તાક્ષર કર્યા થયા છે. તે બંને દેશોના નાગરિકો વચ્ચે પ્રવાસનને પ્રોત્સાહન આપશે. હિન્દી સંમેલનનો અનુભવ તમામ પ્રતિનિધિઓ અને તેમના પરિવારોને પણ ફિજીની મુલાકાત લેવા પ્રેરિત કરશે.એસ. જયશંકરે કહ્યું કે, ભારત અને ફિજી વચ્ચે લોકોના સંબંધો અને બંને દેશો વચ્ચેના સંબંધો પણ ઘણા જૂના છે. આરોગ્ય, શિક્ષણ અને કૃષિ જેવા રાષ્ટ્ર નિર્માણ ક્ષેત્રોમાં ફિજીને મદદ કરવીએ અમારા માટે આનંદની વાત છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, ફિજીના શેરડી ઉદ્યોગમાં પણ ભારતે ઘણી મદદ કરી છે. તેની સાથે જ, ભારત પુનઃપ્રાપ્ય ઉર્જા અને નાના અને મધ્યમ ઉદ્યોગોને આઈટીસપોર્ટ આપવાનું પણ તૈયારી કરી રહી છે. ફિજી કુદરતી આફતોનો ભોગ બને છે અને ભારત તેના મુશ્કેલ સમયમાં હંમેશા ફિજીની સાથે ઊભું રહ્યું છે. ભારતે કોરોના જેવા સમયમાં ફિજીને મદદ કરી અને વેક્સીન ફ્રેન્ડશીપ હેઠળ ફિજીમાં એક લાખ રસીના ડોઝ મોકલવામાં આવ્યા હતો.ફિજીના વડા પ્રધાન કહ્યું કે, હું ફિજીમાં સરકારની ૧૨મી વિશ્વ હિન્દી પરિષદની સહ યજમાની કરવા બદલ વડા પ્રધાન મોદી અને ભારતની પ્રશંસા કરું છું. એ કહેતા આનંદ થાય છે કે, ભારત હંમેશા ફિજીનો ખાસ મિત્ર અને ભરોસાપાત્ર ભાગીદાર દેશ રહ્યો છે, સાથે જ મળીને એક મજબૂત ભાગીદારી વિકસાવી છે જે રાષ્ટ્ર નિર્માણના તમામ ક્ષેત્રોને આવરી લે છે. જરૂરિયાતના સમયે ભારત હંમેશા પડખે ઊભું રહ્યું છે. અમે ભાગ્યશાળી છીએ કે, ભારતે કોરોના રોગચાળાના સંકટ દરમિયાન અમને રસી બનાવવામાં મદદ કરી છે.ભારત અને ફિજી વચ્ચે વિઝા મુક્તિ કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત બંને દેશોના એવા નાગરિકોને વિઝા મેળવવામાંથી મુક્તિ આપવામાં આવશે, જેમની પાસે રાજદ્વારી અને કામ સંબંધિત પાસપોર્ટ છે. તેનાથી ફિજી જનારા ભારતીયોની સંખ્યામાં વધારો થઈ શકે છે.

Related posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ રાજુભાઇ બજાણીયાના ૭ મીટર લાંબા નાના આંતરડા અને બંને કિડનીનું દાન મળ્યું

saveragujarat

શું તમે જાણો છો કે કસરત વગર ફિટ રહેવાની રીત વિશે, એક વાર જાણ્યા પછી તમે પણ રહેવા લાગશો એકદમ ફિટ…

saveragujarat

લોકોમાં અંગદાન અંગે જાગૃતિ આવે તે માટે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત પદયાત્રાને ગુહમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું

saveragujarat

Leave a Comment