Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

જામનગર જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીનો શુભારંભ કરાવતા કલેકટર ડૉ સૌરભ પારધી

સવેરા ગુજરાત જામનગર,તા07

જામનગર: આપણા જવાનો દેશસેવાની ભાવના અપનાવી લડાઈના મોરચે પોતાના પ્રાણની પરવા કર્યા વિના પોતે બધા જ દુ:ખો ભોગવી આપણને સ્વતંત્રતાનું સુખ આપવા તત્પર રહે છે. ત્યારે આવા વીર જવાનો અને શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરવા અને તેઓની સાથે એકાત્મતા સાધવા તેમજ માજી સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ અને પુનર્વસવાટની યોજનાઓમાં મદદ કરવા “સશસ્ત્ર સેના ધ્વજદિન” આપણને એક અનેરો અવસર પુરો પાડે છે. “સશસ્ત્ર સેના ધ્વજદિન” દર વર્ષે તા.૦૭ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય સ્તરે સંપુર્ણ ભારત દેશમાં ઉજવવામાં આવે છે. જે ઉજવણીનો જામનગર જિલ્લામાં પણ જિલ્લા કલેકટર શ્રી ડો.સૌરભ પારધીએ શુભારંભ કરાવ્યો હતો અને દેશ માટે બલિદાન આપનારા સૈનિક પરિવારોને મદદરૂપ થવા ઉદાર હાથે ફાળો આપવા અનુરોધ કર્યો હતો.

સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી હેઠળ એકઠો થયેલો આ ફાળો માજી સૈનિકો, સ્વર્ગીય સૈનિકોની ધર્મપત્નીઓ અને તેઓના પરિવારજનોના હિતાર્થે સરકારશ્રી દ્વારા ધડાયેલા નીતિ નિયમો મુજબ ઉપયોગમાં લેવાય છે, આથી જામનગર જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારઘી તેમજ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી કમાન્ડર સંદીપ જયસ્વાલ (નિવૃત)ની સર્વેને ઉદાર હાથે ફાળો આપવા માટે અપીલ છે. આ ફાળો હાથોહાથ રોકડમાં અથવા ચેક/ડિમાન્ડ ડ્રાફટથી “AFFD FUND A/C COLL. & PRE. D S W AND R O, JAMNAGAR ના નામનો બનાવીને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, લાલ બંગલો, જામનગરમાં જમા કરાવવાનો રહે છે. અથવા અત્રેની કચેરીના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, લાલ બંગલો બ્રાન્ચના ખાતા નં. ૩૩૩૭૭૨૩૬૩૨૦ (આઈ એફ સી કોડ : SBIN0060119) માં કોર બેંકીંગથી જમા કરાવીને તેની જાણ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગરને કરી શકો છો. અત્રે આ બાબતે સર્વે દાતાઓને ફાળો આપવા બદલ સરકારી પહોંચ આપવામાં આવશે. તેમજ સશસ્ત્રસેના ધ્વજદિન માટેનો ફાળો વર્ષ દરમિયાન કોઇપણ દિવસે ૩૧ માર્ચ પહેલાં જમા કરાવી શકાય છે. વધુ વિગત માટે કચેરીના ફોન નંબર : ૦૨૮૮-૨૫૫૮૩૧૧ પર સંપર્ક કરી શક

Related posts

કોરોના સામેની જંગમાં અમોધ શસ્ત્ર એટલે માસ્ક, રસીકરણ અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયરનું પાલન-ડૉ.રાકેશ જોષી અને ડૉ. રજનીશ પટેલ

saveragujarat

“બિટ પ્લાસ્ટિક વેસ્ટ” થીમ અંતર્ગત ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ’’ની ઉજવણીકરાઇ

saveragujarat

‘‘હર ઘર તિરંગા’’ અભિયાન અંતર્ગત રાજ્ય પોલીસવડાઓ દ્વારા પોલીસ કર્મીઓને પોતાના નિવાસ સ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવવા સૂચનો આપવા

saveragujarat

Leave a Comment