ગાંધીનગર મનપાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં ભાજપે જંગી બહુમતીથી જીત મેળવી છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપે 44 માંથી 41 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસને 2 અને આપ પાર્ટી ને 1 બેઠક મળી હતી. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અને સમર્થકોએ ફરી ગાંધીનગર મનપાની ચૂંટણી યોજવાની માંગ કરી છે. ઈવીએમ સાથે છેડછાડનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. આ માંગ સાથે કોંગ્રેસના ઉમેદવારો અને તેમના સમર્થકોએ ધારાસભ્ય સી.જે.ચાવડા પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા.
સી જે ચાવડાએ ગાંધીનગર ચૂંટણીના પરિણામો બાદ રજૂઆત કરવા આવેલા કોંગ્રેસના ઉમેદવારોની રજૂઆતો સાંભળી હતી. આ પછી, સી.જે.ચાવડાએ કહ્યું, “અમે મનપાના દરેક વોર્ડમાંથી લોકોનું સમર્થન મેળવીશું અને સોગંદનામું મેળવીશું અને આ પરિણામને હાઈકોર્ટમાં પડકારશું.”
તે સ્પષ્ટ છે કે પ્રથમ વખત ભાજપને ગાંધીનગરમાં સ્પષ્ટ બહુમતી મળી છે. એટલું જ નહીં, રાજધાનીની 44 માંથી 41 બેઠકો પર કેસરિયો લહેરાયો છે. 11 માંથી 8 વોર્ડમાં સમગ્ર ભાજપની પેનલ જીતી છે. ભાજપે ગત ચૂંટણીની સરખામણીમાં બમણી સીટો જીતી છે. ત્યારે કોંગ્રેસ આરોપ લગાવે છે કે EVM સાથે છેડછાડ કરવામાં આવી છે.