Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

નવા સંસદ ભવનના મોદીના દ્વારા ઉદ્‌ઘાટનનો ૧૯ વિપક્ષનો બહિષ્કાર

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૨૪
ભારતની સંસદનું નવું ભવન બનીને તૈયાર થઈ ગયું છે ત્યારે પીએમ મોદી આગામી ૨૮મેના રોજ તેનું ઉદઘાટન કરવાના છે. આ દરમિયાન ઉદઘાટન અંગે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ, ડાબેરીઓ અને આમ આદમી પાર્ટી સહિત વિપક્ષી દળોનું કહેવું છે કે ઉદઘાટન પીએમ મોદીએ નહીં પણ રાષ્ટ્રપતિએ કરવું જાેઈએ. આટલું જ નહીં વિપક્ષે સરકાર સામે આક્ષેપ કર્યો છે કે તે રાષ્ટ્રપતિની ગરીમાને નબળી પાડી રહી છે. તેમને સરકારના વડા હોવા છતાં ઉદઘાટન માટે બોલાવાયા નથી. આ દરમિયાન કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, એનસીપી, આરજેડી, જદયુ સહિત ૧૯ વિપક્ષી દળોએ આ સમારોહમાં હાજરી નહીં આપી તેનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે. પીએમ મોદીના હસ્તે સંસદના ઉદઘાટન અંગે સૌથી પહેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ સવાલ ઊઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ ઉદઘાટન પ્રધાનમંત્રીએ નહીં પણ રાષ્ટ્રપતિએ કરવું જાેઈએ. તેમના પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે સહિત અનેક વિપક્ષી દળોએ મોરચો ખોલ્યો હતો. હવે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના, કોંગ્રેસ, આપ, એનસીપી, સીપીઆઈ, સીપીએમ, એઆઈએમઆઈએમ, આરજેડી અને જેડીયુએ પણ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે. બંગાળની સત્તાધારી પાર્ટી ટીએમસી અને તમિલનાડુની ડીએમકે પણ આ કાર્યક્રમમાં હાજરી નહીં આપે. હાલમાં ભારત રાષ્ટ્ર સમિતિ અને અકાલી દળ વતી કોઈ ર્નિણય આવ્યો નથી. એવું મનાય છે કે બહિષ્કારનો ર્નિણય બીઆરએસ પણ કરી શકે છે. જાેકે અકાલી દળ આ કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે. જાેકે તેમના વતી પણ કોઈ ર્નિણય આવ્યો નથી. જ્યારે યુપીની મુખ્ય વિપક્ષી પાર્ટી સપા અને આરએલડીએ કાર્યક્રમના બહિષ્કારની જાહેરાત કરી છે. જાેકે ચર્ચા એવી છે કે માયાવતીની બસપા અને આંધ્રપ્રદેશની સત્તાધારી વાયએસઆર કોંગ્રેસ આ કાર્યક્રમમાં જાેડાઈ શકે છે. બીજેડીએ હજુ આ મામલે કોઈ ર્નિણય કર્યો નથી.

Related posts

રાજસ્થાનના પાલી પાસે ટ્રેકટરમાં રામદેવપીરના દર્શન કરવા ગયેલા ગુજરાતના યાત્રાળુનો અકસ્માત સર્જાતાં ચારના મોત ઃ રપ ઇજાગ્રસ્ત

saveragujarat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાના કાર્યક્રમમાં કુંઢેલા નજીક ૧૦૦ એકર જમીનમાં સ્થપાનારી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના નિર્માણ માટે કરશે શિલાન્યાસ

saveragujarat

સીંગતેલ ડબ્બાના ભાવમાં 125 નો વધારો :ભાવ ૨૭૦૦

saveragujarat

Leave a Comment