Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ક્રૂનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોત પર સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હી, તા.૧૯
સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આફ્રિકાથી લાવવામાં આવેલા ૩ ચિત્તાઓના મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું છે કે ચિત્તાઓને માત્ર એક જ જગ્યાએ વસાવવા યોગ્ય નથી. તેમને અન્ય કોઈ અભયારણ્યમાં પણ વસાવવાનો પ્રયાસ થવો જાેઈએ. સુનાવણી દરમિયાન જસ્ટિસે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સરકાર પર સવાલ નથી કરી રહ્યા. તે માત્ર ચિત્તાઓ વિશે પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સરકારે કોર્ટમાં કહ્યું હતું કે ત્રણ ચિત્તાઓના મોતના કારણની તપાસ ચાલી રહી છે. સરકારે એમ પણ જણાવ્યું હતું કે માદા ચિત્તાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો છે. ચિતા પ્રોજેક્ટની આ એક મોટી સફળતા છે. કુનોના વાતાવરણમાં ચિત્તા આરામથી જીવી રહ્યા છે. એક ચિત્તાની મૃત્યુ રોગના કારણે થયું છે. અન્યનું મોત લડાઈમાં ઘાયલ થયા પછી થયું હતું. સુનાવણી દરમિયાન જસ્ટિસ બીઆર ગવઈ અને સંજય કરોલની ખંડપીઠે એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે ભારત સરકારે કિડનીની બિમારીથી પીડિત માદા ચિત્તાને શા માટે ભારત લઇને આવ્યા? જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે “ચિત્તાને લાંબા સમય બાદ ભારતમાં લાવવામાં આવ્યા હતા. તેમને એક જગ્યાએ રાખવાથી દરેકને જાેખમ થઈ શકે છે. તેથી, તેમને વૈકલ્પિક અભયારણ્યમાં પણ સ્થાયી કરવાનું વિચારવું જાેઈએ. આ અભયારણ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાન અથવા મહારાષ્ટ્રમાં હોઈ શકે છે. આ દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કહ્યું કે દીપડા લગભગ ૭૫ વર્ષથી ભારતમાં નથી. તેથી તેમની સાથે સંકળાયેલા નિષ્ણાતોની હજુ પણ અછત છે. સરકાર હાલમાં તેમની સુરક્ષા માટે અનેક પગલાઓ પર વિચાર કરી રહી છે. આમાં તેમને અન્ય કોઈ અભયારણ્યમાં સ્થાયી કરવાનો વિચાર સામેલ છે. રાજસ્થાનનું મુકુદરા નેશનલ પાર્ક આ માટે તૈયાર છે. આ સિવાય મધ્યપ્રદેશમાં અન્ય અભયારણ્યની પણ વિચારણા ચાલી રહી છે.
સુનાવણીના અંતે કોર્ટે તેના દ્વારા બનાવવામાં આવેલી ત્રણ સભ્યોની નિષ્ણાત સમિતિને ૧૫ દિવસમાં રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સને તેના સૂચનો આપવા કહ્યું છે. જેથી તેના પર વિચાર કરી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મામલે આગામી સુનાવણી જૂલાઈ મહિનામાં થશે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે ચિત્તા પ્રોજેક્ટ દેશ માટે મહત્વનો પ્રોજેક્ટ છે. નવા અભયારણ્યની પસંદગી કરતી વખતે પક્ષની રાજનીતિ સાથે જાેડાયેલી વિચારસરણીનો ઉપયોગ ન કરવો જાેઈએ.

Related posts

યાત્રાધામ અંબાજી-ગબ્બર ખાતે લીલી પરિક્રમાની જેમ ૫૧ શક્તિપીઠ પરિક્રમા યોજાશે.

saveragujarat

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલના હસ્તે સર્જરી કૌશલ્ય માટે નવનિર્મિત સ્કીલ લેબ અને હાઇ એન્ડ માઇક્રોસ્કોપનું લોકાર્પણ તેમજ પ્રેક્ટિકલ હેન્ડબુક ઓફ ઇયર સર્જરીનું વિમોચન

saveragujarat

જામનગર મોટી ખાવડી ખાતે આવેલ રિલાયન્સ ના મોલ માં આગ

saveragujarat

Leave a Comment