નવીદિલ્હી,તા.૩૦
દેશમાં કોવિડના કેસોમાં અચાનક વધારો જાેવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોવિડના ત્રણ હજારથી વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના દૈનિક અહેવાલમાં આ વાતની પુષ્ટિ કરી છે.સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વીટ કર્યું કે છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોવિડના કુલ ૩૦૧૬ કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧,૩૯૬ લોકો સાજા થયા છે. જ્યાં કોવિડના વધતા જતા કેસોને કારણે દૈનિક સકારાત્મકતા દર વધીને ૨.૭૩% થઈ ગયો છે, જ્યારે કોવિડમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને કુલ ૪,૪૧,૬૮,૩૨૧ થઈ ગઈ છે.અહીં, દિલ્હીમાં વધતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને, આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજે ઇમરજન્સી બેઠક બોલાવી છે. દિલ્હીની વાત કરીએ તો લગભગ ૬ મહિના પછી પહેલીવાર સંક્રમિત દર્દીઓની સંખ્યા ૩૦૦ સુધી પહોંચી ગઈ છે. બુધવારે જારી કરાયેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-૧૯ને કારણે બે લોકોના મોત થયા છે અને ચેપનો દર ૧૩.૮૯ ટકા છે. ૩૦૦ નવા કેસ આવ્યા બાદ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૮૦૬ થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ૨૧૬૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તે જ સમયે, દિલ્હી સરકારે કહ્યું છે કે દિલ્હીમાં કોરોના સંક્રમણ દરમાં થયેલા વધારાની તુલના પાછલી લહેર સાથે કરી શકાય નહીં. આ પ્રકાર ગંભીર નથી.નિષ્ણાંતોનું કહેવું છે કે દેશમાં કોરોનાના વધતા જતા કેસો પાછળ કોરોનાનું નવું સબ-વેરિઅન્ટ ઠમ્મ્.૧.૧૬ હોઈ શકે છે અને તેના કારણે ભવિષ્યમાં નવા વેવની શક્યતા પણ વધી શકે છે. નિષ્ણાંતોના મતે કોરોનાના નવા પ્રકારના લક્ષણો પહેલા જેવા જ છે. કોઈપણ નવા લક્ષણો સામે આવ્યાં નથી. બદલાતા હવામાનને કારણે ફ્લૂના કેસમાં વધારો થયો છે, જેના કારણે લક્ષણો કોરોના જેવા છે, લોકો ગભરાઈ રહ્યા છે.