Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

વડાપ્રધાન મારા ભાષણથી ડરે છે તેથી સાંસદપદ રદ કરાયું : રાહુલ

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૨૫
લોકસભાની સદસ્યતા ગુમાવ્યા બાદ રાહુલ ગાંધી આજે પૂર્વ સાંસદ તરીકે મીડિયા સામે આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. અદાણી-મોદી સંબંધોનો ઉલ્લેખ કરીને તેમણે સરકારને ઘેરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, ‘મને ગેરલાયક ઠેરવવામાં આવ્યો કારણ કે વડાપ્રધાન મારા ભાષણથી ડરે છે. તે મારા આગામી ભાષણથી ડરી ગયા હતા, જે અદાણી પર થવાનું હતું. મેં તેમની આંખોમાં એ ભય જાેયો છે. તે મારા આગામી ભાષણ વિશે નર્વસ હતા.રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સંસદમાં મારું આગામી ભાષણ ઈચ્છતા ન હતા. તેમણે કહ્યું કે મેં ઘણી વખત કહ્યું છે કે ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. આપણને રોજ નવા દાખલા મળે છે. મેં એક જ પ્રશ્ન પૂછ્યો હતો કે અદાણીજી પાસે શેલ કંપનીઓ છે, તેમાં કોઈએ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. અદાણી પાસે પૈસા નથી. તે તેમનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ છે, પૈસા બીજા કોઈના છે. સવાલ એ છે કે આ ૨૦ હજાર કરોડ રૂપિયા કોના છે? આમાં એક ચાઇનીઝ સામેલ છે, કેમ કોઈ પ્રશ્ન પૂછતું નથી?રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે મેં સંસદમાં પુરાવા આપીને અદાણી અને પીએમ મોદી વચ્ચેના સંબંધો વિશે વાત કરી હતી, જે મને મીડિયા રિપોર્ટ્‌સમાંથી મળી હતી. આ પછી રાહુલે લંડનમાં પોતાના નિવેદનના વિવાદ પર ભાજપ પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે મંત્રીઓએ જૂઠંલ બોલ્યું કે મેં વિદેશી દળોની મદદ લીધી, આ બિલકુલ ખોટું છે. તેમણે કહ્યું કે પીએમ મોદીને બચાવવા માટે આ આખું ડ્રામા રચવામાં આવ્યું છે. તેણે કહ્યું કે આ લોકો હજુ સમજી શક્યા નથી, હું જેલ જવાથી ડરતો નથી. આ બિલકુલ ખોટું છે.રાહુલે કહ્યું કે વડાપ્રધાન મોદી અને અદાણી વચ્ચેના સંબંધો નવા નથી, જૂના છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ બન્યા ત્યારથી તેમના વચ્ચે સંબંધ છે.
પીએમ નરેન્દ્ર મોદી તેમના મિત્ર સાથે ખૂબ જ આરામથી બેઠા હતા. મેં સંસદમાં આ એરોપ્લેનવાળો ફોટો બતાવ્યો હતો. રાહુલે કહ્યું કે પછી મારું ભાષણ અટકાવી દેવાયું હતું. મેં સ્પીકરને વિગતવાર પત્ર લખ્યો. મેં કહ્યું કે નિયમો બદલાયા અને એરપોર્ટ અદાણીને આપવામાં આવ્યું પણ તેનાથી કોઈ ફરક પડ્યો નહીં. સંસદમાં મંત્રીઓ મારા વિશે ખોટું બોલ્યા. તેમણે કહ્યું કે મેં વિદેશી દળોની મદદ માંગી હતી, જ્યારે મેં આવું કંઈ કહ્યું નથી. મેં સ્પીકરને કહ્યું કે સાહેબ, સંસદનો નિયમ છે કે જાે કોઈ સભ્ય પર આરોપ લાગે તો જવાબ આપવાનો અધિકાર સભ્યને છે.રાહુલે વિગતો આપતા કહ્યું કે મેં એક પત્ર લખ્યો અને કોઈ જવાબ ન મળ્યો, બીજાે પત્ર લખ્યો અને કોઈ જવાબ ન મળ્યો. સ્પીકરની ચેમ્બરમાં જઈને કહ્યું કે સાહેબ કાયદો છે, તમે મને બોલવા કેમ નથી દેતા? સ્પીકર સાહેબ હસ્યા અને કહ્યું કે હું કઈ કરી શકતો નથી. કોંગ્રેસના પૂર્વ સાંસદે કહ્યું કે તે પછી શું થયું તે તમે બધાએ જાેયું. હું પ્રશ્નો પૂછવાનું બંધ કરીશ નહીં.રાહુલે કહ્યું કે અદાણી સાથે મોદીજીનો શું સંબંધ છે અને ૨૦ હજાર કરોડ રૂપિયા કોના છે તે હું પૂછતો રહીશ. હું આ લોકોથી ડરતો નથી.
અને જાે તેઓ વિચારે છે કે તેઓ મને ગેરલાયક ઠેરવીને, મને ધમકીઓ આપીને, મને જેલમાં બંધ કરીને રોકી શકે છે. તો એવું નહીં થાય. હું ભારતના લોકતંત્ર માટે લડતો રહીશ.ભાજપના આરોપ પર રાહુલે કહ્યું કે હું ભારત જાેડો યાત્રામાં હજારો કિલોમીટર ચાલી ગયો, મેં બધાને જાેડવાની વાત કરી. ભાજપ ઓબીસીનો મુદ્દો ઉઠાવીને ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે ૪૮ કલાકમાં ઘણું બદલાઈ ગયું છે. તેઓ હવે પૂર્વ સાંસદ છે. ‘મોદી સરનેમ’ના માનહાની કેસમાં તેમને સુરત કોર્ટે ૨ વર્ષની સજા ફટકારી હતી અને ત્યારપછી રાહુલ ગાંધી લોકસભાનું સભ્યપદ ગુમાવી બેઠા હતા. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કર્યું હતું કે હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું. સદસ્યતા છીનવી લીધા બાદ આજે તેમણે પ્રથમ પત્રકાર પરિષદ યોજી હતી. મંચ પર રાહુલની સાથે ભૂપેશ બઘેલ અને અશોક ગેહલોત પણ હાજર હતા. આને ઓબીસીના અપમાનના આરોપ પર ભાજપની પ્રતિક્રિયાના સંકેત તરીકે જાેવામાં આવી રહ્યું છે.

Related posts

૪૦ લાખથી વધારે ભક્તોએ માં જગદંબાના દર્શન કર્યા

saveragujarat

ચીનમાં કોરોનાથી તબાહી : પાંચ અઠવાડીયામાં ૯ લાખ લોકોના મોત

saveragujarat

શામળાજી શીતકેન્દ્ર ના ડોક સુપરવાઇઝર નો વયમર્યાદા નિવૃત્તિ સમારોહ યોજવામાં આવ્યો

saveragujarat

Leave a Comment