નવી દિલ્હી તા.5
આવકવેરા વિગતો બાકી વેરાની સામે રીફંડનું સંતુલન જળવાય રહે તે માટે કરદાતાઓ માટે મહત્વની રાહત જાહેર કરી છે. આવા કિસ્સાઓ ટેકસ અધિકારીઓએ 21 દિવસમાં જ ફેંસલો કરવો પડશે. પરિણામે કાનૂની વિવાદો અટકવાની શકયતા છે. અત્યાર સુધી આ સમયમર્યાદા 30 દિવસની હતી.કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડના નિવેદન મુજબ બાકી ટેકસ સામે રીફંડની રકમ સરભર કરવા માટે કરદાતા પૂર્ણ રીતે સહમત ન હોય તો કેસ તાત્કાલીક સીપીસીને મોકલવાનો રહેશે અને તેમના દ્વારા 21 દિવસમાં જ રીપોર્ટ આપવાનો રહેશે.કરવેરા નિષ્ણાંતોના કહેવા પ્રમાણે અનેક કિસ્સામાં રીફંડના ખોટા વર્ગીકરણ અથવા નિયત સમયમાં જવાબ ન મળવાથી ખોટી આકારણી થતી હતી. પરિણામે બીનજરૂરી કાનૂની વિવાદ સર્જાયા હતા. હવે નવા નિયમન હેઠળ 21 દિવસમાં જવાબ આપવાનો રહેશે.