Savera Gujarat
Other

કેદારનાથ પાસે હેલિકોપ્ટર દુર્ઘટના : 6ના મોત

દહેરાદૂન,તા. 18
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દીપાવલીમાં કેદારનાથ જવાના છે તે સમયે જ આજે એક હેલિકોપ્ટર તૂટી પડતાં છ લોકોના મૃત્યુ થયા છે. કેદારનાથ અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે ધૂમ્મસની સ્થિતિમાં એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર આજે તૂટી પડ્યું હતું.
હેલિકોપ્ટર દુર્ઘટના ગૌરીકુંડ પાસે થઇ હતી અને આ હેલિકોપ્ટર એક ખાનગી આર્યન કંપનીનું હતું. રાહત-બચાવની ટીમ મોકલવામાંઆવી છે પરંતુ તેમાં ભાગ્યે જ કોઇ બચ્યું હોવાના સંકેત છે. આ દુર્ઘટના ગરુડ ચટ્ટી પાસે થઇ હતી.
આ હેલિકોપ્ટર કેદારનાથથી પરત ફરી રહ્યું હતું તે સમયે ભારે ધૂમ્મસમાં ફસાઈ ગયું હતું અને પહાડી વિસ્તારમાં તે ટકરાયું હોય તેવું પ્રાથમિક અનુમાન છે.

Related posts

સિવિલ જજની ૨૧૯ જગ્યા માટે ભરતી બહાર પડાઈ

saveragujarat

રાજ્યભરમાં અત્યારથી થવા લાગ્યો ગરમીનો અનુભવ

saveragujarat

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ, ૧૨થી ૧૪ જૂન વચ્ચે ટકરાઈ શકે છે

saveragujarat

Leave a Comment