દહેરાદૂન,તા. 18
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દીપાવલીમાં કેદારનાથ જવાના છે તે સમયે જ આજે એક હેલિકોપ્ટર તૂટી પડતાં છ લોકોના મૃત્યુ થયા છે. કેદારનાથ અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે ધૂમ્મસની સ્થિતિમાં એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર આજે તૂટી પડ્યું હતું.
હેલિકોપ્ટર દુર્ઘટના ગૌરીકુંડ પાસે થઇ હતી અને આ હેલિકોપ્ટર એક ખાનગી આર્યન કંપનીનું હતું. રાહત-બચાવની ટીમ મોકલવામાંઆવી છે પરંતુ તેમાં ભાગ્યે જ કોઇ બચ્યું હોવાના સંકેત છે. આ દુર્ઘટના ગરુડ ચટ્ટી પાસે થઇ હતી.
આ હેલિકોપ્ટર કેદારનાથથી પરત ફરી રહ્યું હતું તે સમયે ભારે ધૂમ્મસમાં ફસાઈ ગયું હતું અને પહાડી વિસ્તારમાં તે ટકરાયું હોય તેવું પ્રાથમિક અનુમાન છે.