Savera Gujarat
Other

PM મોદીએ વડોદરાનો રોડ શો રદ

સવેરા ગુજરાત /ગાંધીનગર :પીએમ નરેન્દ્ર મોદી આગામી 18 જૂને ગુજરાત આવવાના છે. ત્યારે તેઓ વડોદરામા રોડ શો કરવાના હતા. ત્યારે તેમનો આ રોડ શો રદ કરવામા આવ્યો છે. પીએમ મોદીએ લોકોની ચિંતા કરીને રોડ શો રદ કરવાની જાહેરાત કરી છે. જોકે, તેમના 18 જૂનના કાર્યક્રમો રાબેતામુજબ રહેશે. જેમાં તેઓ પાવાગઢ મંદિરે ધજારોહણ કાર્યક્રમમાં હાજરી આપશે.

આ વિશે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ટ્વીટ કરીને માહિતી આપી કે, દેશનાં નાગરિકોની પડખે રહી સદાય એમની કાળજી લેતા આપણાં યશસ્વી અને વંદનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18મી જૂને વડોદરા ખાતે બપોરે 12 કલાકે યોજાનારો રોડ શો શહેરનાં નાગરિકોને તકલીફ ના પડે એ ધ્યાનમાં રાખીને રદ કરવાની સૂચના આપી છે. પ્રજાની પડખે રહી, પ્રજાની સુખાકારીને સદાય કેન્દ્રમાં રાખી નિર્ણય લેનારા પ્રધાનમંત્રીનો હું આભાર વ્યક્ત કરું છું.

Related posts

અમદાવાદના પોલીસકર્મીએ પરિવાર સાથે કર્યો આપઘાત

saveragujarat

અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે વાયુસેનાના બેન્ડ દ્વારા ભવ્ય રજુઆત કરાતા લોકો દેશભક્તિના રંગમાં મંત્રમુગ્ધ બન્યા

saveragujarat

દેશમાં ઓર્ગન ડોનેશન પ્રત્યે જાગૃતતા વધી રહી છે : વડાપ્રધાન

saveragujarat

Leave a Comment