Savera Gujarat
Other

અમિત શાહ શનિવારે દ્વારકાધીશના ચરણમાં

સવેરા ગુજરાત/ જામ ખંભાળિયા, તા. 26
કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ શનિવારે દેવભૂમિ દ્વારકાની ખાસ મુલાકાતે આવનાર છે. તેઓ મોજપ ખાતે પોલીસ કોસ્ટલ એકેડેમીની ખાસ મુલાકાત લેનાર છે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આગામી શનિવાર તા. 28 મી ના રોજ સવારે અમદાવાદથી નીકળી વિમાનમાર્ગે સવારે 10:15 વાગ્યે જામનગર પહોંચશે. જ્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે 11 વાગ્યે દ્વારકા હેલીપેડ ખાતે પહોંચશે.
ત્યાંથી તેઓ સીધા દ્વારકાધીશ મંદિરે જશે અને 11:30 વાગ્યા સુધી ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ લેશે. ત્યારબાદ બપોરે બાર વાગ્યે ગૃહ મંત્રી દ્વારકા નજીક આવેલા મોજપ ગામે સ્થિત પોલીસ કોસ્ટલ એકેડેમી ખાતે પહોંચશે. જ્યાં બપોરે સવા વાગ્યા સુધી જરૂરી સંવાદ કરશે. સવા વાગ્યે તેઓ દ્વારકાના હેલીપેડથી જામનગર તરફ જવા રવાના થશે અને બે વાગ્યે જામનગરથી નીકળ્યા બાદ અઢી વાગે અમદાવાદ પહોંચશે. બપોરે સાડા ત્રણ વાગ્યે તેઓ મહાત્મા ગાંધી મંદિરની મુલાકાત લેનાર હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

રાજ્ય સરકારે આપદાને પહોચી વળવા તૈયારીઓ :મુખ્યમંત્રી

saveragujarat

ચૂંટણી પૂરી થતાં જ પ્રજા ભૂલાઈ ગઈ : અમિત ચાવડા

saveragujarat

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત માટે આજે અમદાવાદ આવી પહોંચ્યાં

saveragujarat

Leave a Comment