Savera Gujarat
Other

ડાકોરમાં અષ્ટસિદ્ધ હનુમાનજી મંદિર પરિસરમાં શ્રીમદ્‌ વાલ્મિકીકૃત રામાયણ કથાનો શુભારંભ કરાયો

સવેરા ગુજરાત, ડાકોર તા. ૦૮
પવિત્ર યાત્રાધામ ડાકોરમાં અષ્ટસિદ્ધ હનુમાનદાદાના મંદિર પરિસરમાં વાલ્મિકીકૃત રામાયણનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મંદિરના મહંતશ્રી જયરામદાસજી તથા મહંતશ્રી વિજયદાસજી, અજયભાઇ ઠાકર વગેરે મહાનુભાવો દ્વારા દિપ પ્રાગ્ટય કરી પ્રભુશ્રી રામના પરમ ભક્ત હનુમાન દાદાના પવિત્ર પટાંગણમાં પ્રભુશ્રી રામના જીવન કવન પર લખાયેલી વાલ્મિકીકૃત રામાયણનો દિપ પ્રાગ્ટ્ય કરી આરંભ કરવામાં આવ્યો હતો. વ્યાસપીઠ પરથી માનવીને જીવનના સારા કે કઠિન માર્ગોની કેડી પર કઇ રીતે જીવનનો પથ કંડારવો તેનો યથાર્થ મર્મ પ્રભુશ્રી રામના જીવનચરિત્રમાંથી મળે છે તેના અમૂલ્ય જ્ઞાન શ્રી ધનંજયભાઇ શાસ્ત્રી શ્રી રામની કથાનું પવિત્ર રસપાન ઉપસ્થિત ભક્તોને કરાવતાં ભક્તો પણ મંત્રમુગ્ધ બની ભગવાન શ્રી રામના આ અમૂલ્ય જ્ઞાનના વારસાને બિદરાવી રહ્યા છે. આ શ્રી રામકથાના મુખ્ય યજમાનપદે મુંબઇના ભારતીબેન બિરાજમાન છે.

Related posts

આજે ભાદરવી પૂનમે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર જય અંબેના જયનાદથી ગુંજી ઉઠ્યું યાત્રાધામ

saveragujarat

સેક્ટર-૧૭માં ૧૯૯ ઝાડ કાપવાની મંજૂરી મળી

saveragujarat

લાંબા સમયથી સીબીઆઇ સાથે સંતાકૂકડી રમતાં આઇએએસ અધિકારી કે.રાજેશ આખરે ધરપકડ

saveragujarat

Leave a Comment