Savera Gujarat
Other

ગુજરાતમાં ૨૦૧૧ની બેચના DYSP તરીકે ભરતી થયેલા રપ અધિકારી IPS બનશે

અમદાવાદના ડીસીપી ડૉ.હર્ષદ પટેલ, અમદાવાદ ઝોન-૪ ડીસીપી રાજેશ ગઢીયા અને સુરતના ડીસીપી પન્ના મોમાયા, સહિત ૨૫ ડીવાયએસપીનું પ્રમોશન

સવેરા ગુજરાત, અમદાવાદ-ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) બનવાનું હર કોઈનું સ્વપ્ન હોય છે અને તેને પૂર્ણ કરવા માટે રાત-દિવસ એક પણ કરવામાં આવતા હોય છે. ખાખી પહેરીને દેશસેવા કરવાથી વિશેષ બીજું કશું હોઈ પણ ન શકે એટલા માટે ખાખીનો માભો જ કંઈક અલગ હોય છે. બીજી બાજુ અનેક ક્ષેત્રમાં ઈતિહાસ રચ્યા બાદ હવે પોલીસમાં પણ ગુજરાત હરણફાળ ભરી રહ્યું હોય તેવી રીતે ઈતિહાસમાં પહેલી વખત એક સાથે ૨૫ જેટલા ગુજરાતીઓને આઈપીએસનું પ્રમોશન મળવા જઈ રહ્યું છે. આ ૨૫ ગુજરાતીઓમાં રાજકોટમાં એસીપી ક્રાઈમ તરીકે પ્રશંસનીય ફરજ બજાવી ચૂકેલા ડૉ.હર્ષદ પટેલ સહિતનાનો સમાવેશ થાય છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટૂંક સમયમાં ૨૫ જેટલા ડીવાયએસપી તરીકે ભરતી થયેલા અધિકારીઓને આઈપીએસ તરીકે પ્રમોશન આપવામાં આવશે. આ અંગેની પ્રક્રિયાઓ પણ પૂર્ણ થઈ ગયાનું રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ જણાવ્યું છે ત્યારે આવનારા દિવસોમાં એક સાથે ૨૫ જેટલા ગુજરાતી અધિકારી આઈપીએસ તરીકે ફરજ બજાવશે. જે ડીવાયએસપીને આઈપીએસનું પ્રમોશન મળવાનું છે તેમાં સુરતના ડીસીપી પન્ના મોમાયા, રાજકોટમાં એસીપી ક્રાઈમ તેમજ હાલ અમદાવાદના ડીસીપી (કંટ્રોલરૂમ) ડૉ.હર્ષદ પટેલ, અમદાવાદ ઝોન-૪ના ડીસીપી રાજેશ એચ.ગઢિયા સહિત ૨૫ ડીવાયએસપીનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓની નિમણૂક ૨ઃ૧ રેશિયોના આધારે કરવામાં આવી રહી છે જેમાં ડાયરેક્ટ યુપીએસસી ક્લિયર કરનાર બે, જીપીએસસી ક્લિયર કરીને પ્રમોશન લેનાર એક આઈપીએસ હોય છે પરંતુ ગુજરાતના ઈતિહાસમાં એક સાથે ૨૫ આઈપીએસ બન્યા હોય તેવું આ પહેલાં ક્યારેય બન્યું નથી. જાે કે આ વખતે ૨૦૧૧ની બેચના ડીવાયએસપી બનેલા જીપીએસસીના અધિકારીઓની બેચને આ લાભ મળશે.દરમિયાન જાણવા મળ્યા પ્રમાણે ૨૦૧૧ની બેચના પાસ થયેલા ૩૫ જેટલા ડીવાયએસપી જિલ્લામાં એસપી તરીકે તેમજ શહેરમાં ડીએસપી તરીકે નિમણૂક પામ્યા છે અને હવે તેમને ટૂંક સમયમાં મહત્ત્વની જગ્યાએ પોસ્ટીંગ પણ આપવામાં આવશે. આ પહેલાં ગુજરાત કેડરના ચાર આઈપીએસ અધિકારીઓ એવા સજ્જનસિંહ પરમાર, અશોક મુનિયા, મયૂર ચાવડા અને ઉષા રાડાને આઈપીએસ કેડર ફાળવવામાં આવી હતી.

Related posts

ગુજરાત પોલીસે અંતે ૪૧૯ ચાઈનીઝ લોન એપ બંધ કરી

saveragujarat

કોરોનાના જોખમ સામે સરકાર એલર્ટ: મનસુખ માંડવિયાની રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક

saveragujarat

જેલથી મુક્ત થયા બાદ સરકાર પાસે માગ્યું ૧૦ હજાર કરોડનું વળતર

saveragujarat

Leave a Comment