Savera Gujarat
Other

ખુલ્લી જીપમાં મોદી અમદાવાદના રસ્તા પર નીકળ્યા, ભવ્ય રોડ શોમાં ઠેરઠેર સ્વાગત કરાયા

સવેરા ગુજરાત/અમદાવાદ:- ચાર રાજ્યોની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ જ્યારે પીએમ મોદી ગુજરાત પહોંચી ચૂક્યા છે. ખુલ્લી જીપમાં સવાર થઈને પીએમ મોદી અમદાવાદના રસ્તા પર નીકળી પડ્યા છે. જ્યાં ઠેરઠેર તેમનુ સ્વાગત કરાઈ રહ્યું છે. લોકોનુ અભિવાદન ઝીલીને તેઓ કમલમ તરફ આગળ વધી રહ્યાં હતા. 10 મહિના બાદ પીએમ મોદી ગુજરાતની ધરતી પર આવ્યા છે, ત્યારે તેમને વધાવવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. તેમની સાથે ખુલ્લી જીપમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સાથે દેખાઈ રહ્યા છે.

પીએમ મોદીના સ્વાગતમાં કોઈ ખામી રાખવામાં આવી નથી. ગુજરાતની ધરતી પર પ્રધાનમંત્રી મોદીને આવાકારવાની તૈયારીઓ અમદાવાદના રસ્તાઓ પર દેખાઈ રહી છે. ચાર રાજ્યની ચૂંટણીના વિજય બાદ પીએમના સ્વાગતમાં ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા તેમનુ અભિવાદન કરવામા આવ્યુ. એરપોર્ટથી કમલમ સુધીના માર્ગ પર સાંસ્કૃતિક કાર્યક્મ થકી પ્રધાનમંત્રીનુ અભિવાદન કરવામા આવ્યુ હતુ. એરપોર્ટ થી માંડી કમલમ સુધી કુલ 52 સ્ટેજ પર હાલ વિવિધ સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે. જેમાં દેશની અલગ અલગ સંસ્કૃતિને કાલાકારો રજૂ કરી રહ્યાં છે.

સંમેલન થકી PM ગુજરાતની ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે ભવ્ય રોડ શો બાદ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે વિશાળ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. જેમાં ગુજરાત પંચાયત મહાસંમેલનને સંબોધન કરશે. મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ, ભાજપના પ્રદેશ હોદ્દેદારો સહિત સેંકડો કાર્યકરો આ સમયે ઉપસ્થિત રહેશે. તેઓ રાજ્યની તમામ જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે સંવાદ કરશે. અંદાજે દોઢ લાખ કરતા વધુ લોકોની અહીં ઉપસ્થિતિ રહેશે. 4 રાજ્યોની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપનું આ ભવ્ય શક્તિ પ્રદર્શન બની રહેશે. સંમેલનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થશે. આજના સંમેલન થકી પ્રધાનમંત્રી ગુજરાતની ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે.

કમલમમાં પીએમની ભવ્ય રંગોળી
ગુજરાતમાં આવીને સૌથી પહેલા પીએમ મોદી પ્રદેશ કાર્યાલય કમલમની મુલાકાત લેવાના છે. ત્યારે કમલમમાં પીએમની વિશાળ રંગોળી બનાવવામા આવી છે. વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશ ગયા હતા ત્યારે ગંગા નદીમાં તેઓએ ડૂબકી લગાવી હતી. હાથમાં કળશ લઈને નદીમાં અર્ધ આપ્યુ હતુ, તે પળને રંગોળીમાં કેદ કરાઈ છે.

આગમનને લઈને અમદાવાદમાં ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધીનો રોડ બંધ કરવામાં આવ્યો છે. એરપોર્ટથી લઈને કમલમ સુધીના માર્ગ પર મોટી ભીડ જોવા મળી રહી છે. માત્ર ભાજપના કાર્યકરોની બસ અને ગાડીને જ જવા દેવામાં આવે છે. એરપોર્ટ જનારા મુસાફરોને ટિકિટ જોઈને જવા દેવાય છે. અન્ય લોકોને બીજા રૂટ પર ડાઇવર્ટ કરવામાં આવ્યા છે.

અમદાવાદનાં આ રસ્તાઓ રહેશે બંધ…

  •  ડફનાળા ચાર રસ્તાથી એરપોર્ટ સર્કલ, એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ, નોબેલ ટી સુધીનો રસ્તો રહેશે બંધ
  • સંજીવની હોસ્પિટલથી વસ્ત્રાપુર તળાવથી અંધજન મંડલ ચાર રસ્તાથી હેલમેટ ચાર રસ્તા સુધીનો રસ્તો
  • વસ્ત્રાપુરથી હયાત હોટલ સુધીનો રસ્તો
  • હિમાલયા મોલથી ત્યાંથી સંજીવની હોસ્પિટલથી શહીદ ચોકથી માનસી ચાર રસ્તા તથા સંજીવનીથી ગુરૂદ્વારા ચાર રસ્તા
  • સરદાર પટેલ બાવલાથી સ્ટેડિયમ 6 રસ્તા તથા ઇન્કમટેક્ષ ચાર રસ્તાથી સ્વસ્તિક ચાર રસ્તા તથા લખુડી સર્કલથી સ્ટેડિયમ છ રસ્તા
  • કોમર્સ સર્કલથી સ્ટેડિયમ છ રસ્તા સુધીનો માર્ગ
  • વાડજ સ્મશાન ગૃહથી આંબેડેકર બ્રિજ નીચે સુધીનો સંપુર્ણ રિવરફ્રન્ટનો માર્ગ

પીએમની સુરક્ષા માટે પોલીસ રસ્તા પર
પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ અંગે અમદાવાદ પોલીસ અલર્ટ થઈ છે. ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં સરદાર પટેલ સ્ટેન્ડિયમમાં 1 IG, 1 DIG, 5 DCP, 9 ACP, 35 PI, 157 PSI અને 615 હેડ કોન્સ્ટેબલ સહિત કુલ 822 જવાનો તૈનાત રહેશે. જ્યારે કે, GMDC ગ્રાઉન્ડમાં 1 IG, 11 DCP, 15 ACP, 48 PI, 163 PSI, 1615 હેડ કોન્સ્ટેબલ સહિત કુલ 1853 જવાનો તૈનાત રહેશે. તો અમદાવાદ એરપોર્ટ પર 1 IG, 3 DCP, 4 ACP, 12 PI, 50 PSI, 800 કોન્સ્ટેબલ સહિત 870 જવાનો તૈનાત રહેશે.

 

Related posts

ગાંધીનગરમાં આરોગ્ય, શિક્ષણ, પંચાયત, ન્યાય સહિતના સરકારી કર્મચારીઓએ મહા આંદોલનનું રણશિંગૂ ફૂક્યું

saveragujarat

રાજ્યની તમામ ચેકપોસ્ટ ઉપર CCTV કેમેરાથી દારૂની હેરાફેરી પર વોચ રખાશે

saveragujarat

૧૦૦ માં અંગદાનના સમાચાર મળતા આરોગ્યમંત્રી પહોંચ્યા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં

saveragujarat

Leave a Comment