Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

રાજયના ૬૧૩ તાલુકા કોર્ટોમાં ફરજ બજાવતા સરકારી વકીલોનો ૧૨ જને પરિસંવાદ યોજાશે

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૧૦
ડાયરેકટર ઑફ પ્રોસીકયુશનના ઈન્ચાર્જ ડાયરેકર જગરૂપ સિંહ રાજપૂતે જણાવ્યુ હતું કે, ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે તા.૧૨ જુન ૨૦૨૨ના રોજ સવારે ૧૧ થી ૨ દરમિયાન ‘કન્વીકશન રેટઃ સરકારી વકીલની ભુમિકા’ વિષયક એક દિવસીય પરિસંવાદ યોજાશે. જેની અધ્યક્ષતા રાજ્યના કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કરશે. રાજપૂતે ઉમેર્યું હતું કે રાજ્યમાં ફોજદારી કોર્ટોમાં ચાલતા કેસોમાં ગુનેગારોને કડક સજા થાય અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર મુકામે ડાયરેકટર ઑફ પ્રોસીકયુશનના ઈનચાર્જ ડાયરેકર જગરૂપસિહ રાજપૂત અને નાયબ નિયામક રાકેશ રાવે મીડિયાને માહિતી આપતા કહ્યુ કે, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી રાજયના કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના પ્રયત્નોથી રાજયના લગભગ ૬૧૩ તાલુકા કોર્ટોમાં ફરજ બજાવતા સરકારી વકીલો માટે આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમણે ઉમેર્યુ કે,ગુજરાત રાજ્યમાં પોલીસ ઈન્વેસ્ટીગેશન તથા ફોજદારી કોર્ટોમાં ચાલતા કેસોની ગુણવતામાં સુધારો થાય તથા રાજયમાં કન્વીકશન રેટમાં વધારો થાય તે માટે ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ ૨૫ (એ) મુજબ રાજય સરકારે ૨૦૧૯ ના વર્ષમાં ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનની કચેરી કાર્યરત કરાઈ છે. તથા તે માટેના ગુજરાત રાજય પ્રોસીકયુશન નિયમો ૨૦૨૦ અમલમાં મુકવામાં આવ્યા છે. રાજયમાં કન્વીકશન રેટમાં સુધારો થાય તે માટે આ કચેરી દ્વારા પોલીસ ઈન્વેસટીગેશન તેમજ કોર્ટ પ્રોસીંડીગની કામગીરીની દેખરેખ રાખવી અને જરૂરી સલાહ સુચનો આપવાની કામગીરી કરે છે. આ કાર્યક્રમમાં રાજયના તમામ મદદનીશ સરકારી વકીલશ્રીઓ ઉપરાંત રાજયના કાયદા સચિવ પી.એમ.રાવલ, ઇન્ચાર્જ ડાયરેકટર ઓફ પ્રોસીકયુશન જગરૂપસિંહ રાજપૂત, જાેઇન્ટ ડાયરેકટર વિધિ ચૌધરી, ડેપ્યુટી ડાયરેકટર રાકેશ રાવ તથા ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના ડાયરેટર ઉપસ્થિત રહેશે.

Related posts

રાજ્યની ૧૫૬ નગરપાલિકાઓને કુલ ૧૭.૧૦ કરોડની સહાય ગુજરાત સરકાર અપાશે

saveragujarat

ડુંગળીની સાથે ખેડૂતોને બટાટાએ પણ રોવડાવ્યા

saveragujarat

અદાણીએ CNG માં ૮.૧૩ અનેPNG માં રુ.૫.૦૬નો કર્યો ઘટાડો

saveragujarat

Leave a Comment