Savera Gujarat
Other

બલિદાન દિવસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગતસિંહને કરાઈ પુષ્પાંજલિ

સવેરા ગુજરાત/જામનગર: વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા 23 માર્ચ બલિદાન દિવસ નિમિત્તે હવાઈ ચોક ખાતે શહીદ ભગતસિંહની પ્રતિમાને પૂજન અને પુષ્પાંજલિ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના જામનગર જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, સહમંત્રી રવિન્દ્રભાઈ કુંભારાણા, કોષાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પિલ્લે, વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, ગૌરક્ષા વિભાગના સંયોજક ધર્મેન્દ્રસિંહ વાળા, વિશ્વ હિન્દુ પરિષદ જામનગર ગ્રામ્ય ના મંત્રી પ્રીતમસિંહ વાળા, બજરંગ દળના જિલ્લા સહ સંયોજક વિશાલભાઈ હરવરા, વિજયભાઈ બાબરીયા, વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ વિભાગના જિલ્લા સંયોજિકા હીનાબેન અગ્રાવત, પ્રફુલાબેન અગ્રાવત, દુર્ગાવાહિનીના જિલ્લા સંયોજિકા કૃપાબેન લાલ, આરતીબેન ઠાકુર સહિતના અગ્રણી હોદ્દેદારો અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ માતૃશક્તિ દુર્ગાવાહિનીના કાર્યકરોએ શહીદ ભગતસિંહ ની પ્રતિમા સમક્ષ જઇને પુષ્પવૃષ્ટિ કરી જયઘોશ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. અને બલિદાન દિવસ નિમિત્તે દેશ કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર દેશભક્તોને યાદ કર્યા હતા.

Related posts

અમદાવાદમાં ૭૨ વર્ષ બાદ નવા રથોની સાથે નીકળશે રથયાત્રા

saveragujarat

પશ્ચિમી પવનોના લીધે વિવિધ શહેરોમાં ભેજનું પ્રમાણ ૯૦% સુધી પહોંચ્યું

saveragujarat

ઓસ્ટ્રે્‌લિયાના વિશ્વ વિજેતા કેપ્ટન આરોન ફિંચે લીધો સંન્યાસ

saveragujarat

Leave a Comment