Savera Gujarat
તાજા સમાચારભારતમનોરંજન

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને પાન મસાલા ની જાહેરાત સાથે ફાડયો છેડો, કંપનીને કરાર મુજબ રૂપિયા કર્યા પરત…

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચને હવે પાન મસાલા બ્રાન્ડની જાહેરાતથી દૂર થઈ ગયા છે. તેમણે કંપની સાથેનો જાહેરાતનો કરાર સમાપ્ત કર્યો છે. જાહેરાત માટે મળેલા પૈસા પણ તેમને પરત કરી દેવામાં આવ્યા છે. પાન મસાલા બ્રાન્ડને પ્રમોટ કરવા માટે 79 વર્ષીય અભિનેતાને ટ્રોલ કરવામાં આવ્યા હતા. તેના ઘણા ચાહકોએ આ અંગે નિરાશા વ્યક્ત કરી હતી. આ જ કારણ છે કે અમિતાભ બચ્ચન આ જાહેરાતથી દૂર થઈ ગયા.

અમિતાભ બચ્ચનની ઓફિસ દ્વારા રવિવારે રાત્રે બહાર પાડવામાં આવેલી બ્લોગ પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ હવે બ્રાન્ડની જાહેરાત સાથે સંકળાયેલા નથી. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “જાહેરાત પ્રસારિત થયાના થોડા દિવસો બાદ, અમિતાભ બચ્ચને કંપનીનો સંપર્ક કર્યો અને ગયા અઠવાડિયે જાહેરાતમાંથી અલગ થઈ ગયા.”

એક રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે જ્યારે અમિતાભ બચ્ચન બ્રાન્ડ સાથે જોડાયેલા હતા ત્યારે તેમની પાસે બ્રાન્ડ વિશે સંપૂર્ણ માહિતી નહોતી. જાહેરાતના શૂટિંગ દરમિયાન તેને ખબર ન હતી કે તે કોઈ એવી વસ્તુની જાહેરાત કરે છે જે પ્રતિબંધિત પ્રોડક્ટ સંબંધિત હતી. અથવા તેના સેવનથી નુકસાન થાય છે.

અમિતાભ બચ્ચને કંપની સાથેનો તેમનો કરાર સમાપ્ત કર્યો અને તેમને પ્રમોશન માટે મળેલી રકમ પરત કરી. ગયા મહિને, નેશનલ ટોબેકો એન્ટિ-ટોબેકો ઓર્ગેનાઇઝેશનએ બચ્ચનને પાન મસાલા બ્રાન્ડને પ્રમોટ કરતી જાહેરાતોનો ભાગ ન બનવાની અપીલ કરી હતી. આજે અમિતાભ બચ્ચન તેમનો 79 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે, તેને સોશિયલ મીડિયા પર તમામ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે.

Related posts

આજથી ગાંધીનગરમાં ત્રિદિવસિય મેંગો મહોત્સવ યોજાશે જેમાં દેશમાં કેરની વિવિધ જાતોનું પ્રદર્શન અને વચાણ થશે

saveragujarat

Ola બાદ આ ભારતીય કંપનીએ લોન્ચ કરી ઈ-બાઈક, જાણો શું છે કિંમત

saveragujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૦ મું અંગદાન થયું છે. વર્ષ ૨૦૨૪નું આ પ્રથમ અંગદાન

saveragujarat

Leave a Comment