શકિત , ભકિત અને પ્રકૃતિના સમન્વય એવા શકિતપીઠ અંબાજી માં દરવર્ષે ભાદરવા માસના શુકલ પક્ષમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાતો હોય છે . ભાદરવી પૂનમનો સમયગાળો તા . ૧૫/૯/૨૦૨૧ થી તા .૨૦ / ૯ / ૨૦૨૧ સુધીનો છે . પવિત્ર યાત્રાધામ અંબાજી સમગ્ર ભારતના લોકોની આસ્થાનું કેન્દ્ર છે ભાદરવી પૂર્ણિમા પ્રસંગે લાખો શ્રધ્ધાળુઓ મા અંબાના પ્રસિધ્ધ શકિતપીઠ અંબાજીમાં પધારે છે .
લાખોની સંખ્યામાં માઈ ભકતો પદયાત્રા કરીને માના ચરણોમાં શીષ જુકાવીને પોતાના ગામમાં કે શેરી મહોલ્લામાં નવરાત્રિમાં માને પધારવા માટે આમંત્રણ આપવા આવે છે . જેથી ભાદરવી પૂર્ણિમા ઉત્સવનું એક વિશિષ્ટ અને અનેરું મહત્વ છે . પારંપરીક પરંપરાઓ મુજબ ભકિતનું અનેરૂ મહત્વ છે . શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ , અંબાજી અને જનજાતિ કલ્યાણ આશ્રમ બનાસકાંઠા ધ્વારા , વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભજન કાર્યક્રમ ચાચર ચોકમાં કરવામાં આવી રહયો છે .
જેમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા અને સંસ્કૃતીને લગતા ભજનો ભજન મંડળીઓ દ્વારા માતાજીના ચાચરચોકમાં ભકિતમય રીતે પાંચ દિવસ સુધી કરવામાં આવી રહયો છે . બનાસકાંઠા જીલ્લાના તોરણીયા , રંગપુર , વાગોરીયા , સોનવાડી ગામની ભંજન મંડળીઓ ધ્વારા ભજનો કરવામાં આવ્યા છે . આવનાર યાત્રાળુઓ પણ તેનો લાભ લઈ રહયા છે .