Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

પવિત્ર યાત્રાધામ અંબાજી સમગ્ર ભારતના લોકોની આસ્થાનું કેન્દ્ર છે

શકિત , ભકિત અને પ્રકૃતિના સમન્વય એવા શકિતપીઠ અંબાજી માં દરવર્ષે ભાદરવા માસના શુકલ પક્ષમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાતો હોય છે . ભાદરવી પૂનમનો સમયગાળો તા . ૧૫/૯/૨૦૨૧ થી તા .૨૦ / ૯ / ૨૦૨૧ સુધીનો છે . પવિત્ર યાત્રાધામ અંબાજી સમગ્ર ભારતના લોકોની આસ્થાનું કેન્દ્ર છે ભાદરવી પૂર્ણિમા પ્રસંગે લાખો શ્રધ્ધાળુઓ મા અંબાના પ્રસિધ્ધ શકિતપીઠ અંબાજીમાં પધારે છે .

લાખોની સંખ્યામાં માઈ ભકતો પદયાત્રા કરીને માના ચરણોમાં શીષ જુકાવીને પોતાના ગામમાં કે શેરી મહોલ્લામાં નવરાત્રિમાં માને પધારવા માટે આમંત્રણ આપવા આવે છે . જેથી ભાદરવી પૂર્ણિમા ઉત્સવનું એક વિશિષ્ટ અને અનેરું મહત્વ છે . પારંપરીક પરંપરાઓ મુજબ ભકિતનું અનેરૂ મહત્વ છે . શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ , અંબાજી અને જનજાતિ કલ્યાણ આશ્રમ બનાસકાંઠા ધ્વારા , વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભજન કાર્યક્રમ ચાચર ચોકમાં કરવામાં આવી રહયો છે .

જેમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા અને સંસ્કૃતીને લગતા ભજનો ભજન મંડળીઓ દ્વારા માતાજીના ચાચરચોકમાં ભકિતમય રીતે પાંચ દિવસ સુધી કરવામાં આવી રહયો છે . બનાસકાંઠા જીલ્લાના તોરણીયા , રંગપુર , વાગોરીયા , સોનવાડી ગામની ભંજન મંડળીઓ ધ્વારા ભજનો કરવામાં આવ્યા છે . આવનાર યાત્રાળુઓ પણ તેનો લાભ લઈ રહયા છે .

Related posts

અમદાવાદમાં યોજાનાર અર્બન-2નો લોગો, વેબસાઇટ, વેલકમ સોંગનું લોન્ચિંગ કરતા રાજ્યના મુખ્યમંત્રી

saveragujarat

ભારત-પાકિસ્તાન બોર્ડર પર ૩૧ કિલો હેરોઈન જપ્ત

saveragujarat

અમદાવાદ, : અયોધ્યમાં ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રાજસ્થાન યુવા મંચ દ્વારા અક્ષત કળશ પૂજા, ભવ્ય આરતી અને ભજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

saveragujarat

Leave a Comment