Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા પંચભૂતમાં થયા વિલિન

સવેરા ગુજરાત, ગાંધીનગર,તા.૩1
પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું ૧૦૦ વર્ષની જૈફ વયે નિધન થયું હતું. તબિયત લથડતાં તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ  ૩૦ ડિસેમ્બરની રોજ વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ તેમનું નિધન થયું હતું. માતાના નિધન બાદ પીએમ મોદીએ ટિ્‌વટ કર્યું હતું કે, શાનદાર સદીનું ઈશ્વરના ચરણોમાં વિરામ… માતામાં હંમેશામાં ત્રિમુર્તિની અનુભૂતિ કરી છે. તો માતાના નિધન બાદ પીએમ મોદી તરત જ દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને બાદમાં ગાંધીનગરના રાયસણ ખાતે પહોંચ્યા હતા. બાદમા પીએમ મોદીની માતાની અંતિમ વિધિ હાથ ધરાઈ હતી. આ સમયે પીએમ મોદીએ પોતાની માતાની અર્થીને કાંધ આપી હતી. ગાંધીનગરના સેક્ટર ૩૦માં આવેલા સ્મશાનગૃહમાં પીએમ મોદીના માતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઁસ્ મોદી અને તેમના ભાઈ પ્રહલાદભાએ માતાની ચિતાને અગ્નિદાહ આપ્યો હતો. ત્યારે પીએમ મોદીના ચહેરા પર ગમગીની જાેવા મળી હતી. આ સમયે સમગ્ર મોદી પરિવાર શોકમાં જાેવા મળ્યો હતો. પીએમ મોદીના માતાના અંતિમ સંસ્કારમાં મોદી પરિવાર સહિત ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, હીરાબાની તબિયત લથડતાં છેલ્લાં બે દિવસથી તેઓ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જ્યારે તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા ત્યારે પીએમ મોદી પણ દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા. બે કલાક સુધી તેઓ પોતાની માતા પાસે રોકાયા હતા અને તેમના ખબર અંતર પૂછ્યા હતા. પછી તેઓ દિલ્હી જવા માટે રવાના થયા હતા. એ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના ધારાસભ્યો અને નેતાઓ પણ હીરાબાના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા. ત્યારે આજે વહેલી સવારે પીએમ મોદીના માતાનું નિધન થતા મોદી પરિવાર સહિત ભાજપના નેતાઓમાં પણ શોકનો માહોલ જાેવા મળ્યો હતો. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે, શ્રીમતી હીરાબા મોદીનું ૩૦/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૩.૩૦ વાગ્યે (વહેલી સવારે) યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે.’ બીજી તરફ, હીરાબાના નિધન બાદ મોદી પરિવારમાં ભારે શોક જાેવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હીરાબા ગાંધીનગર નજીક રાયસણ ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રહેતા હતા. વડાપ્રધાન જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવતા ત્યારે તેઓ નિયમિતપણે રાયસણની મુલાકાત લેતા હતા
અને ગુજરાતની તેમની મોટાભાગની મુલાકાતો દરમિયાન તેમની માતા સાથે સમય વિતાવતા હતા. તેમની મુલાકાત કરીને તેમની સાથે પ્રેમભરી વાતચીત કરતા હતા અને માતાએ બનાવેલું ભોજન પણ તેઓ લેતા હતા. મોટાભાગના કાર્યક્રમોમાં પીએમ મોદી પોતાની માતાની સંઘર્ષગાથા વર્ણવતા હતા. હીરાબાના નિધન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના અનેક નેતાઓએ ટિ્‌વટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ગૃહ મંત્રી અમિત શાહે પણ તેમને ટિ્‌વટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હીરાબાના નિધન બાદ રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. આ સિવાય ભાજપના ધારાસભ્યો અને કેટલાંક નેતાઓ પણ પહોંચ્યા હતા. તો ગાંધીનગરના સેક્ટર ૩૦માં આવેલા સ્મશાનગૃહમાં હીરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં પીએમ મોદી અને તેમના પરિવારજનો સહિત ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, પીએમ મોદી જ્યારે પોતાની માતાની વાત કરતા ત્યારે એવું કહેતા હતા કે તેમની માતાનું જીવન ખૂબ જ સંઘર્ષભર્યુ રહ્યું હતું. તેઓ બીજાના ઘરે કામકાજ કરવા જતા હતા. તેમને લાપસી ખૂબ જ ભાવતી હતી. તેઓ સાદુ ભોજન જમતા હતા. તેમને દાળ, ભાત અને ખીચડી ખૂબ જ ભાવતી હતી. સો વર્ષની ઉંમરે પણ તેઓ ખૂબ જ સ્વસ્થ હતા. ત્યારે સો વર્ષની જૈફ વયે તેઓએ અંતિમ શ્વાસ લેતા મોદી પરિવાર સાથે રાજકીય વર્તુળોમાં પણ શોક જાેવા મળ્યો હતો.

Related posts

આરોગ્ય ક્ષેત્રમાં ગુજરાતને વધુ એક સિદ્ધી ઃ ‘આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર મળ્યોં ગુજરાતને

saveragujarat

ભારતમાં ક્રિપ્ટો પર ટેક્ષ પુર્વે વેચાણની દૌટ

saveragujarat

કોરોના વાયરસના કેસ ઘટશે, નહીં આવે ચોથી લહેર?

saveragujarat

Leave a Comment