Savera Gujarat
Other

શહીદ ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલી આપતા વિધાનસભા અધ્યક્ષની આંખોમાંથી અશ્રુ વ્હ્યાં

સવેરા ગુજરાત/ગાંધીનગર: આજે ક્રાંતિવીરો શ્રદ્ધાંજલિ આપતા વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમા બેન આચાર્ય લાગણીશીલ બની ગયા હતા અને પોતાના વક્તવ્યમાં રીતસર રડી પડ્યા હતા. તો બીજી તરફ વિધાનસભા ગૃહમાં સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો પણ વિભોર બની ગયા હતા. ગુજરાત વિધાનસભાની કાર્યવાહીમાં આજે સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રજૂ કરેલા શહીદોના પ્રસ્તાવમાં સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા આ તબક્કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમા બેન આચાર્યએ પોતાના વક્તવ્યમાં વીર ભગતસિંહ શિવરામ રાજગુરુ અને સુખદેવને બ્રિટીશ સલ્તનતે ફાંસીને માંચડે લટકાવી દીધા હોવાનો ઉલ્લેખ કરતા જ નિમા બેન પોતાની લાગણીઓ રોકી શક્ય નહિ અને રીતસર રડી પડતાં ગૃહમાં પણ ગમગીન વાતાવરણ સર્જાયું હતું. ઉલ્લેખનીય છે કે ઘટનાક્રમ દરમ્યાન વીર શહીદોના મનમાં ગૃહમાં 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું.

Related posts

આદિવાસી સમાજ નું ગૌરવ “દિપકભાઈ એમ ડામોર”

saveragujarat

શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ

saveragujarat

ભૂખ્યા બાળક માટે ૨૩ મિનિટમાં રેલવેએ દૂધ પહોંચાડ્યું

saveragujarat

Leave a Comment