સવેરા ગુજરાત/જામનગર:- મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ચોકલેટની દુકાનો આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરના આદેશ અને માર્ગદર્શન હેઠળ બાળકોના આરોગ્યને ધ્યાનમાં લઈ ચોકલેટની દુકાનોમાં આકસ્મિક ચેકીંગ ફૂડ અધિકારી પી એસ ઓડેદરા અને ટિમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું
જેમાં ચોકલેટની દુકાનોમાંથી ત્રણ જેટલા નમૂના એકત્ર કરી તેને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. અગાઉ પણ હોટલ રેસ્ટોરન્ટ ના દસેક અને પીઝાના છ થી સત નમૂના લઈ તેને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.
બાળકો ચોકલેટ અને કન્ફેક્શનરી વસ્તુઓ વધારે ખાતા હોય છે ત્યારે તેમના આરોગ્યને લઈ આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેથી બાળકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે.